નીતિનભાઈ બે દિવસ પહેલાંની ઘટના ભૂલ્યા: ફરીવાર કહ્યું, “ભૂપેન્દ્રભાઈ ક્યારેય ગુસ્સે નથી થતા”, વડોદરામાં મુખ્યમંત્રીનો ગુસ્સો આખા ગુજરાતે જોયો હતો

નીતિનભાઈ બે દિવસ પહેલાંની ઘટના ભૂલ્યા:ફરીવાર કહ્યું, “ભૂપેન્દ્રભાઈ ક્યારેય ગુસ્સે નથી થતા”, વડોદરામાં મુખ્યમંત્રીનો ગુસ્સો આખા ગુજરાતે જોયો હતો
Email :

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે એક બાદ એક બે કાર્યક્રમોમાં સંબોધન કર્યું. પ્રથમ કાર્યક્રમ મહેસાણાના કડીમાં હતો, જેમાં સમૂહલગ્નમાં સંબોધન કરતાં નીતિનભાઈએ પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. બીજો કાર્યક્રમ ગાંધીનગરના કલોલમાં હતો, જેમાં નીતિનભાઈએ સંબોધન કરતા ફરી ભૂપેન્દ્રભાઈનાં વખાણ કર્યા અને કહ્યું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ક્યારેય ગુસ્સે નથી થતા. નીતિનભાઈ બે દિવસ પહેલાંની ઘટના ભૂલી ગયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલમાં મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા 35 વીઘા વિસ્તારમાં બનાવવામાં આવેલા કેમ્પસનું ‘દમ્પુ પટેલ કેમ્પસ’ નામકરણ તથા સમત્વ નેચરોપથી સેન્ટરના ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે

રાજ્યના પૌરવ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સામરોહને સંબોધન કરતા નીતિનભાઈ પટેલે ફરી વાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં ભરપૂર વખાણ કર્યા અને કહ્યું કે ભૂપેન્દ્રભાઈ ખૂબ મધુરભાષી છે અને તેમને ક્યારેય ગુસ્સો નથી આવતો. જોકે નીતિનભાઈ પટેલ બે દિવસ પહેલાં વડોદરામાં બનેલી ઘટના ભૂલી ગયા, જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંબોધન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા ઊભી થયેલી બે બહેનો પર ગુસ્સે થયા હતા. આ ઘટના સમયે પણ લોકોએ નીતિનભાઈ પટેલના અગાઉ આપેલા નિવેદનને યાદ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈને ગુસ્સો આવતો નથી અને કોઈ તેમને

કોઈ ગુસ્સે કરી પણ ન શકે. કડીમાં નીતિનભાઈ પટેલે પાકિસ્તાન પર પ્રહારો કર્યા કડીમાં છત્રાલ રોડ પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડ ખાતે જેસીઆઈ દ્વારા મહિયરની ચુંદડી કન્યાદાન સર્વજ્ઞાતિ ચતુર્થ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં​ નીતિન પટેલે પાકિસ્તાન પર પ્રહારો કરતા કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગે છે, અત્યાર સુધી આપણું જ ખાધુ હતું, હવે ભારતે નિકાસ બંધ કરતા ભૂખે મરશે. અત્યારે ભારત અને પાકિસ્તાનની બંને બાજુથી આક્રમક તૈયારીઓ નીતિન પટેલે કહ્યું

હતું કે, કટ્ટરવાદીઓની સામે આખા દેશની અંદર દેશભક્ત અને રાષ્ટ્રવાદનો માહોલ જોવા મળી રહ્યો છે, હજુ શું થશે એ કોઈને ખબર નથી, અને આપણે કહી શકતા નથી. અત્યારે ભારત અને પાકિસ્તાનની બંને બાજુથી આક્રમક તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્રભાઈ મોદીને આપણે સારી રીતે ઓળખીએ છીએ, આપણા ગુજરાતી છે અને 12 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં તેમણે કામ કર્યું છે. અત્યારે નરેન્દ્રભાઈ ત્રીજી ટ્રમ તરીકે વડાપ્રધાનની સેવા આપી રહ્યા છે. નરેન્દ્રભાઈ જેવા પ્રખર રાષ્ટ્રભક્ત કોઈ હોઈ શકે? અત્યારે તો કોઈ છે જ નહીં પહેલા કદાચ કોઈ હોય તો આપણને ખબર નથી. આતંકવાદીઓને એવા

નેસ્તનાબૂદ કરવા છે કે કાશ્મીર ઉપર નજર મારવાની પણ તાકાત ન થાય વધુમાં તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઈએ કહ્યું છે કે નિર્દોષ પ્રવાસીઓને શહીદ બનાવ્યા છે એ આતંકવાદીઓને એ આતંકવાદીઓના સંગઠનને અને જે આતંકવાદીઓને સપોર્ટ કરે છે, મદદ કરે છે પાકિસ્તાનની સરકાર તેને અમે વીણી વીણી બદલો લઈશું.એ બદલો લેવાનું આયોજન કેન્દ્ર સરકાર, આપણું લશ્કર, આપણા નેતાઓ બહુ જ ઝીણવટભરી રીતે કરી રહી છે. આ કંઈ એવું નથી કે લાકડી લઈને બહાર નીકળી ગયા અને મારી દીધા, પદ્ધતિસરનું આયોજન કરીને પાકિસ્તાનને એવું ખલાસ કરવું છે કે, આતંકવાદીઓને એવા નેસ્તનાબૂદ કરવા છે કે આવનાર સમયમાં

ભારતની દિશામાં અને ભારતના નાગરિકો પર અને કાશ્મીર ઉપર નજર મારવાની પણ તાકાત ન થાય. પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગે છે નીતિન પટેલે કહ્યું કે, પાકિસ્તાન અત્યાર સુધી ભારતનું જ ખાતું હતું, આપણું ખાઈ આપણું જ ખોદતું હતું, પાકિસ્તાનને ખાવાના ફાફા છે, લોકોમાં અનાજ માટે કેવી પડાપડી અને લૂંટાલૂટ થતી હતી, તે આપણે ટીવીમાં જોતા હતા. પાકિસ્તાન ભીખારી અને કંગાળ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનના પીએમ દુનિયામાં ફરીને કટોરો લઈને ભીખ માગે છે, પહેલા જે પીએમ ઈમરાન ખાન, નવાઝ શરીફ હતો અને વર્તમાન પીએમ પણ ભીખ માગી રહ્યો છે. પાકિસ્તાનને

એક ઘાથી નથી મારવું, તડપાવીને, ભૂખે રાખીને મારવું છે વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, તડપાવીને, ભુખે રાખીને મારવું છે, અંદરો અંદર લડી મરે તેવી દશા કરવી છે, પાકિસ્તાનની આ દશા કરવા ભારત સરકાર પદ્ધિતસરનું આયોજન કરી રહી છે. હું એટલા માટે આ બધું કહું છું કે, તમે બધા સમજુ અને અગ્રગણ્ય નાગરિક છો જ્યારે દેશને જરૂર પડે જ્યારે સૈનિકો સરહદ ઉપર એમનું કામ કરવાના છે, પાકિસ્તાનીઓને શોધી શોધી ઠાર મારવાના છે, એમના બંકરો એમના આતંકવાદીઓને છુપાવવા માટે તાલીમ લેવાના સ્થાનો છે પહેલા જે સર્જીકલ સ્ટ્રાઈક કરી

હતી તેવી રીતે નાશ કરવાના છે. 140 કરોડ ભારતવાસીઓ આપણે આપણું કર્તવ્ય બજાવીએ તેમણે કહ્યું કે આપણે નાગરિક તરીકે દેશની સેવા, દેશનું સંકલન ભારતીય નાગરિક તરીકે એ જાળવી રાખવાની છે. જ્યારે જરૂર પડે ત્યારે સરકાર જે અપેક્ષા રાખે એ પ્રમાણે એક નાગરિક તરીકે ભારત માતાના એક સપૂત તરીકે આપણે બધાએ પણ 140 કરોડ ભારતવાસીઓએ પણ દેશ સેવાનું કામ કરી, આપણે જે ભારત માતાની જે જય બોલીએ છીએ એ ખરેખર દિલથી બોલીએ છીએ એ ખરેખર જ્યારે અમલમાં મૂકવાની હોય ત્યારે અમલમાં મૂકી એમાં આપણે બધા કર્તવ્ય બજાવીએ. વિવિધ જ્ઞાતિનાં 11 યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં સમૂહલગ્નમાં શુક્રવારે

મહેંદી રસમનું આયોજન કરાયું હતું. શનિવારે મંડપમુહૂર્ત, ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ જેવા માંગલિક કાર્યક્રમો યોજાયા. રવિવારે સવારે જાન આગમન થયું હતું. આ ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવિધ જ્ઞાતિનાં 11 યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં છે. 100થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટ અપાઈ સમૂહલગ્નમાં ભોજનના દાતા તરીકે જે.કે. ગ્રુપ કડીના જગદીશભાઈ ખોડીદાસ પટેલે સેવા આપી. સેવાકીય પ્રવૃત્તિઓના પ્રેરણાસ્ત્રોત તરીકે દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, જગદીશભાઈ ખોડીદાસ પટેલ અને સૌરીનભાઈ પરીખનું યોગદાન રહ્યું. દરેક નવદંપતીને સોનાની બુટ્ટી, ચુની, ગ્રામનું મંગળસૂત્ર, તિજોરી, ચાંદીનો ઝૂડો, ચાંદીની પાયલ, ચાંદીની ગાય અને ચાંદીનો તુલસી ક્યારો સહિત 100થી વધુ કરિયાવરની વસ્તુઓ ભેટ આપવામાં આવી છે.

Leave a Reply

Related Post