નવસારીમાં 14 દિવસમાં આપઘાતના 13 બનાવમાં 12નાં મોત: દુનિયામાં આત્મહત્યા મોતનું ચોથું કારણ, આ સમસ્યાનું સમાધાન શું? જાણો એક્સપર્ટ પાસેથી

નવસારીમાં 14 દિવસમાં આપઘાતના 13 બનાવમાં 12નાં મોત:દુનિયામાં આત્મહત્યા મોતનું ચોથું કારણ, આ સમસ્યાનું સમાધાન શું? જાણો એક્સપર્ટ પાસેથી
Email :

નવસારી જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પહેલી મેથી 14 મે સુધીના સમયગાળામાં કુલ 13 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પૈકી માત્ર એક વ્યક્તિનો જ બચાવ થયો છે, જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આપઘાતની પોલીસ તપાસમાં આત્મહત્યાના વિવિધ કારણો સામે આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવને કારણે તળાવમાં કૂદીને જીવન ટૂંકાવ્યું. એક યુવાને ફેમિલી કોર્ટના કેસથી કંટાળીને તળાવમાં ઝંપલાવ્યું. બેરોજગારીથી હતાશ એક યુવાને દારૂ પીને આત્મહત્યા કરી. એક વૃદ્ધ મહિલાએ બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું. તો પ્રેમ પ્રકરણમાં પણ આપઘાત કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી સ્થિતિને

પહોંચી વળવા શું કરવું જોઈએ? આ ગંભીર પરિસ્થિતિ સામે મનોચિકિત્સકો શું કહી રહ્યા છે તે જાણીએ. આ ઘટનાઓએ નવસારી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને યુવા વર્ગમાં ધીરજનો અભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ સમાજ માટે ચેતવણીરૂપ છે. મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ જરૂરી નવસારી સિવિલ હોસ્પિટલમાં સાઇકિયાટ્રિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. રાધા મહેતા જણાવે છે કે, નવસારી જિલ્લામાં અકસ્માતના બનાવવામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સુસાઇડ એ પ્રિવેન્ટટેબલ કોઝ છે, જેને અટકાવી શકાય છે, વિશ્વમાં આત્મહત્યા ચોથા નંબરનું મોતનું કારણ છે. આપણે સૌ મળીને

આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થાય એવા પ્રયત્નો કરી શકીએ છીએ. યુવાનોમાં આત્મહત્યા ના બનાવ વધ્યા છે. એકના એક દીકરા હોય તેવા યુવાનો આત્મહત્યા તરફ પ્રેરાઇ રહ્યા છે. આત્મહત્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વધુ પડતી જવાબદારી લેવી. પોતાની જાત પાસે અપેક્ષા વધુ રાખવી. ડિપ્રેશન, ઉદાસી, વ્યસન, દેખાદેખી, પરફોર્મન્સ પ્રેશર, અમે એક મનો ચિકિત્સક તરીકે કહી શકીએ કે જો પરિવારમાં કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો દેખાય કે તે કોઈપણ મુશ્કેલી બીજા સાથે શેર ન કરતો હોય તો તેને ચોક્કસ સિવિલ હોસ્પિટલની મનો ચિકિત્સક ઓપીડીમાં લાવી કાઉન્સેલિંગ અપાવી શકાય છે. આવા

વ્યક્તિને ટેકા કરતા વધુ સધિયારાની જરૂર મનોચિકિત્સક ડો.નચિકેતા દેસાઈ જણાવે છે કે અમારે ઘણી બધી વખત આવી પરિસ્થિતિ જોવાની થતી હોય છે. આત્મહત્યા એ દુઃખદ પરિસ્થિતિ છે, એના અલગ અલગ કારણ હોય છે. દરેક કેસની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે એવું કહી શકાય કે વ્યક્તિ જ્યારે દુઃખી હોય, ત્યારે આવું પગલું લેવાના તેને વિચાર આવે છે, તો આવા વ્યક્તિને ટેકા કરતા વધુ સધિયારાની જરૂર હોય છે. આપણે એની વાતો સાંભળી શકીએ વ્યક્તિને આવા વિચારો ક્યારે આવે છે, એ કહે છે તો જ ખબર પડશે. ઘણી વાર વર્તનમાં પણ ફેરફાર જોવા મળે છે, જો

વ્યક્તિ આત્મહત્યા અંગે વાત કરે તો તેને કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. પોલીસ ચોપડે નોંધાયેલા કુલ કેસ ઉપર નજર કરીએ પહેલો બનાવ 1 મેના રોજ નિવૃત્ત શિક્ષક છોટુભાઈ રણછોડભાઈ પટેલે તેના મહિલા મિત્રને ગળે ફાંસો આપી, જાતે પણ આત્મહત્યા કરી હતી. આ કે સમગ્ર નવસારીમાં ખૂબ ગાજ્યો હતો બીજો બનાવ તારીખ 1 મેના રોજ બન્યો હતો, જેમાં નવસારી શહેરના કબીલપોર ખાતે રહેતા 40 વર્ષે હિતેશ જયંતીભાઈ રાઠોડ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર છત સાથે લોખંડના એંગલ ઉપર દુપટ્ટા વડે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્રીજો બનાવ 1 મેના રોજ બન્યો હતો, જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના

ખૂંધ ગામે રહેતા 27 વર્ષીય યુવાન અન્વય મોહનભાઈ કોળીએ ખૂંધ ચિલ્ડ્રન હોમની બાજુમાં આવેલી ચીકુની વાડીમાં ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું ચોથો બનાવ 2જી મેના રોજ બનવા પામ્યો હતો, જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા 46 વર્ષે મનુષ જગદીશ સંગમાં એ અગમ્ય કારણોસર વિષ્ણુ ટિમ્બરના પાછળના ભાગે આવેલા ચીકુની વાડીમાં છેડા ઉપર ઝાડી ઝાંખરામાં આમલીના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. 5મો બનાવ બીજી મેના રોજ બનવા પામ્યો હતો, જેમાં 30 વર્ષે એક અજાણ્યા પુરુષે આસુંદર ગામની હદમાં આવેલા જમશેદ અસ્પીભાઈ આસોદરિયાની

માલિકીના ખેતરના શેરડી આવેલા આંબાના ઝાડ સાથે અગમ્ય કારણોસર ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું, છઠ્ઠો બનાવ નવસારી જિલ્લાના આમડપોર ગામમાં બનવા પામ્યો હતો, જેમાં 58 વર્ષીય સોમાભાઈ હળપતિ વેજલપુર ગામની સીમમાં ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યા હતા. સાતમો બનાવ નવસારી જિલ્લાના ગણદેવીમાં બનવા પામ્યો હતો, જેમાં 60 વર્ષીય કમુબેન પટેલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર બે પ્રકારની ઝેરી દવા પી જતાં તેમને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં બે તેમનો જીવ બચી જવા પામ્યો હતો. આઠમો બનાવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરુ ગામમાં બનવા પામ્યો હતો જેમાં 42 વર્ષીય ધર્મેશભાઈ શંકરભાઈ રાઠોડ એ

દારૂ પીવાની ટેવ ધરાવતા હોય અને કોઈ કામ ધંધો ન કરતા હોય પોતે કંટાળી જઈ મકાનના પથરા ને એંગલ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસોને જીવન ટૂંકાવ્યું હતું, નવમો બનાવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનવા પામ્યો હતો, જેમાં એક 19 વર્ષે યુવતીએ ધોરણ 12ના પરિણામમાં નાપાસ જાહેર થતાં ટેન્શનમાં આવી પોતાના રૂમમાં પંખાના હુક સાથે જીવન ટૂંકાવ્યું હતું, 10મો બનાવ નવસારી જિલ્લાના ચીખલી જુના વલસાડ રોડ પાસે બનવા પામ્યો હતો, જેમાં 34 વર્ષે અજયભાઈ રવજીભાઈ ધ્રુવે છેલ્લા ત્રણેક વર્ષથી ભરણપોષણનો કોર્ટ કેસ ચાલતો હોય અને માનસિક તાણના કારણે પોતે પોતાની રીતે ઘાસ મારવાની દવા પી

જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. 11મો બનાવ નવસારી જિલ્લાના ગણદેવીમાં સામે આવ્યો હતો, જેમાં 35 વર્ષે રેખાબેન પટેલ એક પોતાના પતિનું મોત થયા બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હતા. જેથી તેઓએ પોતાના ઘરે ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. 12મો બનાવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા નાદરખા ગામમાં બનવા પામ્યો હતો, જેમાં 44 વર્ષે યજ્ઞેશભાઈ પટેલ અગમ્ય કારણોસર મરઘીના પોર્ટ્રી ફાર્મના શેડમાં ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું. 13મો બનાવ આજે બનવા પામ્યો હતો, જેમાં બંદર રોડ તવડી પુલ પાસે અજાણ્યા વ્યક્તિએ ઘરે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું હતું.

Leave a Reply

Related Post