મ્યુઝિયમમાં મૂકવાની માગણી: વડનગર સરકારી વસાહતમાં ધૂળ ખાતાં 1200 વર્ષ જૂનાં માનવ કંકાલને વરસાદી પાણીના કારણે નુકસાનની ભીતિ

મ્યુઝિયમમાં મૂકવાની માગણી:વડનગર સરકારી વસાહતમાં ધૂળ ખાતાં 1200 વર્ષ જૂનાં માનવ કંકાલને વરસાદી પાણીના કારણે નુકસાનની ભીતિ
Email :

વડનગરમાં ઉત્ખનન દરમિયાન માલગોડાઉન નજીક મળી આવેલ માનવ કંકાલની જાળવણી ન થતાં આ અવશેષ પર જોખમ ઊભુ થયું છે. સરકારી વસાહતમાં પડી રહેલા કંકાલને માત્ર કંતાનથી ઢાંકી દેવાયું છે.રણીધણી વિનાના આ કંકાલ તંત્રની બેદરકારીને કારણે નષ્ટ થઈ જશે.બે દિવસ અગાઉ વરસેલા વરસાદનું પાણી ઉતરતાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી

છે. જોકે વધુ વરસાદ થાય તો આ કંકાલને મોટું નુકસાન થશે.એક વર્ષ અગાઉ ડીએનએ ટેસ્ટ કરાયો હતો.જેમાં 1000 વર્ષ જૂનુ હોવાનું જાણવા મળ્યું હતુ. .આ કંકાલ વડનગર જ નહીં પણ દેશ માટે પણ અજાયબી સમાન છે.પણ અધિકારીઓ જવાદારીમાંથી છટકી રહ્યા છે. વડનગરમાંથી મળી આવેલી આ અજાયબીને મ્યુઝિયમમાં મુકવા માંગ

ઉઠી છે. કંકાલ કોઇ સાધુનું હોવાનું અનુમાન આ અંગે પુરાતન વિશેષજ્ઞ અને ઈતિહાકારે જણાવ્યું હતુ કે વડનગર સાધુ સંતોની ભૂમી રહી છે.આ નગરી સાત ઋષિઓની ભૂમિ રહી છે.આ કંકાલ આમાંથી એક સાધુ સંતોનું હોઈ શકે.નવા પરીક્ષણમાં આ કંકાલ 1200 વર્ષ જુનુ હોવાનું રહસ્ય ખુલ્યું છે.જોકે આ કંકાલનો કોઈ રણીધણી નથી.

Leave a Reply

Related Post