ગુજરાતમાં 18 IASની બદલી: પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનાના કેસમાં ફરિયાદી બનેલા BM પટેલની બદલી, ડી.ડી. જાડેજાની ગાંધીનગર ટ્રાન્સફર

ગુજરાતમાં 18 IASની બદલી:પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનાના કેસમાં ફરિયાદી બનેલા BM પટેલની બદલી, ડી.ડી. જાડેજાની ગાંધીનગર ટ્રાન્સફર
Email :

રાજ્યમાં ફરી IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે 3 મે 2025ના રોજ ગુજરાતના 18 IASની એક સાથે બદલી કરવામાં આવી છે. જોકે, પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરા સામે મનરેગા યોજનાના કેસમાં ફરિયાદી બનેલા DRDA દાહોદના બીએમ પટેલની બદલી કરવામાં આવી છે.

ગીર સોમનાથના દબંગ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી કરાઈ. સોમનાથમાં ઐતિહાસિક ડિમોલિશન કામગીરી કરનાર અને પૂર્વ સાંસદ દિનુ સોલંકી સાથે વિવાદને લઈ ચર્ચામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી

હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ 21 ફેબ્રુઆરીના રોજ બે IAS અધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી હતી. જ્યારે એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. જાણો કોની ક્યાં બદલી કરાઈ

Leave a Reply

Related Post