પાસપોર્ટ કચેરીનો છબરડો: ખોટા બારકોડથી 1800 પાસપોર્ટ બીજા સરનામે પહોંચી ગયા, તત્કાલ પાસપોર્ટ ન મળતાં કેટલાકે ટ્રિપ કેન્સલ કરી

પાસપોર્ટ કચેરીનો છબરડો:ખોટા બારકોડથી 1800 પાસપોર્ટ બીજા સરનામે પહોંચી ગયા, તત્કાલ પાસપોર્ટ ન મળતાં કેટલાકે ટ્રિપ કેન્સલ કરી
Email :

ગુલબાઈ ટેકરા સ્થિત આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરી નવા 2.0 વર્ઝન અમલી કર્યા બાદ પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાઈ ગયા હતા, જેના કારણે જે અરજદારોએ તત્કાલમાં પાસપોર્ટ માટે અરજી કરી હતી, તેમને બીજા દિવસના બદલે ચાર દિવસે પણ પાસપોર્ટ મળ્યા ન હતા. ઓન એરાઇવલ વિઝા લઈ ફરવા જનાર અરજદારો એડવાન્સમાં હોટેલ અને ફ્લાઇટની ટિકિટ બુક કરી દીધી હતી. તેમને સમયસર પાસપોર્ટ ન મળતા ટ્રિપ રદ કરવી કે કેમ તે અંગે ભારે

દ્વિધામાં મુકાયા હતા. જોકે સૂત્રોએ જણાવ્યું કે, પોસ્ટ વિભાગે 1800 પાસપોર્ટ અમદાવાદ પાસપોર્ટ કચેરીએ મોકલી દીધા છે અને જેના પર સાચું સરનામું છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે. ડિસ્પેચ વિભાગ સ્પીડ પોસ્ટ મારફતે પાસપોર્ટ મોકલે છે. જોકે પાસપોર્ટનું નવું વર્ઝન અપડેટ થઈ રહ્યું છે ત્યારે 1800 જેટલા અરજદારોના પાસપોર્ટનાં કવર પર એડ્રેસ બારકોડ લગાવાયા હતા અને તેમાં ભૂલ જણાઈ હતી, જેના કારણે ભારતીય પોસ્ટ ન સ્પીડ પોસ્ટ દ્વારા પાસપોર્ટ અરજદારોના સાચાં સરનામે ડિસ્પેચ થયા ન

હતા. અરજદારો પાસપોર્ટ સ્ટેટસ ચેક કરતા હતા ત્યારે અમદાવાદના સરનામાનો પાસપોર્ટ અમદાવાદના બહારના ગામનો બતાવતો હતો. એક અરજદારે જણાવ્યું કે મારે વિદેશમાં ફરવા જવાનું હોવાથી શુક્રવારે મેં તત્કાલમાં અરજી કરી હતી અને શનિવારે મને પાસપોર્ટ મળી જશે એમ માની મેં હોટેલ અને ફ્લાઇટ બુક કરાવી દીધી હતી, પરંતુ પાસપોર્ટ ચાર દિવસ બાદ ન મળતા આજે બુધવારે હું પાસપોર્ટ કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા જતા મને પ્રવેશવા દીધો હતો. આ અંગે અમદાવાદ આરપીઓ અભિજિત શુકલાનો સંપર્ક થઈ શક્યો ન હતો.

Leave a Reply

Related Post