અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરનો 19મો પાટોત્સવ: સોમપ્રકાશ સ્વામીની પારાયણમાં ઘનશ્યામ મહાપ્રભુના જીવન ચરિત્રનું રસપાન, 17 મે સુધી ચાલશે

અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરનો 19મો પાટોત્સવ:સોમપ્રકાશ સ્વામીની પારાયણમાં ઘનશ્યામ મહાપ્રભુના જીવન ચરિત્રનું રસપાન, 17 મે સુધી ચાલશે
Email :

અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના 19મા પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ચરિતમ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પારાયણના બીજા દિવસે વરિષ્ઠ સંત સોમપ્રકાશ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહાપ્રભુના જન્મોત્સવ અને યુવા વયે ગૃહત્યાગ વિશે રસપ્રદ વિવેચન કર્યું હતું. કથા દરમિયાન સભામાં ઉપસ્થિત શ્રોતાજનોએ

નીલકંઠવર્ણીની તપસ્યા મુદ્રાને એક પગે ઉભા રહીને અનુભવી હતી. આ પારાયણનું આયોજન 13થી 17 મે 2025 સુધી કરવામાં આવ્યું છે. ભાવનગરના વરિષ્ઠ સંત સોમપ્રકાશ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવન ચરિત્રનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. પારાયણ દરરોજ રાત્રે 8:30થી 11:00

વાગ્યા સુધી યોજાય છે. આ દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરવામાં આવી રહી છે. ભાવિક ભક્તો ભક્તિકથામાં લીન થઈ રહ્યા છે. 17 મે સુધી ચાલનારા આ પારાયણમાં ભાવિકોને ભાગ લેવા આમંત્રણ છે. મંદિરનો 19મો પાટોત્સવ 19 મે ના રોજ ઉજવવામાં આવશે.

Leave a Reply

Related Post