ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ: આવતીકાલથી દબાણ દૂર કરાશે, 3000 પોલીસકર્મીઓ ખડેપગે રહેશે; માઈક મારફતે લોકોને મકાન ખાલી કરવા જણાવાયું

ચંડોળા તળાવ ડિમોલીશન પાર્ટ-2ની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલથી દબાણ દૂર કરાશે, 3000 પોલીસકર્મીઓ ખડેપગે રહેશે; માઈક મારફતે લોકોને મકાન ખાલી કરવા જણાવાયું
Email :

અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ-1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ-2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ફેઝ-2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 SRP કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલીશનની ફેઝ-2ની કામગીરીમાં કુલ અઢી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે. ફેઝ-2ની દબાણ હટાવની કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી

શરૂ થશે. જે જગ્યા પર ડિમોલીશન થવાનું છે ત્યાં હાલ જે લોકો રહે છે તેને મકાનો ખાલી કરી દેવા માટે માઈક મારફત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ફેઝ-2ની કામીગીરીમાં 2.50 લાખ ચો.મી. જમીન ખુલ્લી કરાશે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ચંડોળા તળાવ આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે ફેઝ-1ની કામગીરી થયા બાદ મંગળવાર (20 મે)થી ફેઝ-2ની કામગીરી શરૂ કરવાની છે.

ફેઝ-2ની કામગીરી ત્રણ થી ચાર દિવસ ચાલે તેવી શક્યતા છે. ચંડોળા તળાવ આસપાસ થયેલા દબાણો દૂર કરી અઢી લાખ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવશે. નોંધનીય છે કે, ફેઝ-1ની કામગીરી દરમિયાન કુલ દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. અનિચ્છનીય બનાવ રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે પો. કમિશનરને વધુમાં જણાવ્યું હતું કે, ડિમોલીશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ ઓફિસ અને કર્મચારીઓ

ઉપરાંત એસઆરપીની 25 કંપનીઓ બે શિફ્ટમાં તૈનાત રહેશે. મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફેઝ-2 ડિમોલીશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે. 2025માં અમદાવાદમાંથી 250 બાંગ્લાદેશીઓ ઝડપાયા પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ચંડોળા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીએ ગેરકાયદે રહેતા હતા અને ગેરકાયદે ધંધાઓ કરતા હતા. 2025માં અમદાવાદમાંથી કુલ 250 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જેમાં 207 તો ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. 200થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ

પણ કરી દેવામાં આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માઈક મારફતે જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે માઇક મારફતે જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી અને માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ

વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓ ઇ ડબલ્યુ એસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારથી જ મેગા ડિમોલેશનની શરૂઆત થવાની છે. જેથી આજે 19 મે ના રોજ ચંડોળા તળાવમાં કોર્પોરેશન દ્વારા ફરીથી જાહેરાત કરી અને મકાનો ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Related Post