અમેરિકન સ્ટાઇલમાં ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન: 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા, અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા

અમેરિકન સ્ટાઇલમાં ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન:300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા, અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા
Email :

પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજયભરના જુદા જુદા શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદે રીતે અહીં રહેતા 300 થી વધુ બાંગ્લાદેશીઓને ખાનગી એરક્રાફટ મારફતે બાંગ્લાદેશ પાછા

ધકેલી દીધા હોવાનું આધારભૂત પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું છે. પહલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતુ. અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે

છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા

ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરાયા હતા. જે દિવસે પકડ્યા તે

દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરાયું ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું છે. જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરાયું

હતું. હજુ ઓપરેશન જારી, પૂર્ણ થતા બેથી ત્રણ દિવસ લાગશે અત્યારસુધી ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા પછી તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયામાં મહિનાઓ લાગતા હતા. આ વખતે પણ પોલીસ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પ્રક્રિયા હાથ ધરે કે ન ધરે તે પહેલા એવું કહેવાયું હતું કે 10 દિવસમાં અમે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરીશું.

Leave a Reply

Related Post