30 કલાક બાદ અમદાવાદ-મુંબઈનો રેલ વ્યવહાર પૂર્વવત્: વિશાળ ક્રેન-કાટમાળ હટાવતી વખતે 500 ટનની 2 ક્રેન નમી જતા 750 ટનની ક્રેન લાવવી પડી

30 કલાક બાદ અમદાવાદ-મુંબઈનો રેલ વ્યવહાર પૂર્વવત્:વિશાળ ક્રેન-કાટમાળ હટાવતી વખતે 500 ટનની 2 ક્રેન નમી જતા 750 ટનની ક્રેન લાવવી પડી
Email :

અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ (રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી, જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી છે. 750 ટનની એક ક્રેન અને

500 ટનની બે તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી છે. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડીરાત્રે પૂર્ણ કરી દેવામાં આવી હતી. 25 માર્ચને મંગળવારની વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ દ્વારા રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રીક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પરથી ટ્રેનની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાના 30 કલાકમાં ક્રેનને દૂર કરીને રેલવે વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે. ટ્રેનને સિગ્નલ મળ્યું હોત તો દુર્ઘટના સર્જાત વટવા રોપડા બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનના

પિલર પર વાયડક્ટ ફીટ કર્યા બાદ પાછી ફરી રહેલી ગેન્ટ્રી નીચે પડી ગઈ હતી. વધુમાં આ ગેન્ટ્રી પડી જવાના કારણે ઓએચઈ વાયર તૂટી જતા વીજ સપ્લાઈ ટ્રીપ થઈ ગયો હતો. તેજસ એક્સપ્રેસ પસાર થયા પછી ગેરતપુર નજીક આજ ટ્રેક પર અન્ય એક ગુડ્સ ટ્રેન વટવા તરફ આવવા માટે સિગ્નલની રાહ જોઈ રહી હતી. જો ભૂલથી પણ આ ટ્રેનને સિગ્નલ મળી ગયું હોત તો આ ગુડ્સ ટ્રેન ગેન્ટ્રી સાથે અથડાઈ હોત અને બીજી મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. ઘટનાની જાણ થતા હાઈસ્પીડના તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ મોડી રાતે જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે પિલર ઉપરથી પડી ગયેલી

લગભગ 140-140 મેટ્રિક ટન વજનની નીચે પડી ગયેલી બન્ને ગેન્ટ્રીને હટાવવા માટે રાતે જ 500-500 મેટ્રિક ટનની ક્ષમતાની બે હેવી ક્રેઈન મંગાવી હતી. આ ક્રેઈનોને 24 માર્ચને સોમવારે સવારે ટ્રેકની બાજુમાં ગોઠવી કર્મચારીઓ દ્વારા પડી ગયેલી ગ્રેન્ટ્રીને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બપોરે ક્રેઈનની મદદથી ગેન્ટ્રી પિલર ઉપરથી ઉંચકવાની કામગીરી કરતી વખતે ક્રેઈનનું બેલન્સ જળવાતું ન હતું. જેના પગલે આ ક્રેઈનને હટાવી 750 મેટ્રિક ટનની બીજી ક્રેઈન મંગાવી હતી. સાંજે લગભગ 6 વાગ્યા બાદ આ ક્રેઈનની મદદથી ગેન્ટ્રી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાતે 9 વાગ્યા સુધીમાં એક ગેન્ટ્રી હટાવી દેવાઈ હતી. બીજી ગેન્ટ્રી મોડી રાત્રે

હટાવી દેવાઈ હતી. બાદમાં વહેલી સવારે હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં રેલવે વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. 300થી વધુ કર્મચારી-અધિકારીઓ કામે લાગ્યા ન્યુ ગુજરાત દ્વારા છેલ્લા 24 કલાકથી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના અધિકારીઓને કર્મચારીઓ તેમજ નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં કેટલા લોકો જોડાયેલા છે અને કેટલા સમય સુધી હજી સુધી આ કામગીરી ચાલશે તે અંગે સમગ્ર માહિતી મેળવી હતી. 24 કલાકથી નેશનલ હાઈ સ્પીડ રેલવે અને પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના 300થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ ત્રણ વિશાળ ક્રેન અને બીજી નાની મશીનરી તેમજ રેલવે પ્રોટેક્શન

ફોર્સના પોલીસ બંદોબસ્ત વચ્ચે આખા વિસ્તારને પ્રોટેક્શન કરીને ક્રેનને ઉતારવાની કામગીરી કરી રહી છે. ગર્ડરની કામગીરી સમયે ક્રેન તૂટી પડી હતી નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વાયડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સેગમેન્ટ લોન્ચિંગ ગેન્ટ્રી( વિશાળ ક્રેન) કોન્ક્રીટ ગર્ડરની કામગીરી પૂરી કરી પરત આવતી હતી. ત્યારે અચાનક જ ખસી જતા નીચે તૂટી પડી હતી. ઘટના અંગે જાણ થતા હાઈ સ્પીડ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા વડોદરા અને અમદાવાદ કાંકરીયાથી એકસીડન્ટ રેસ્ક્યૂ ટીમ

(ART) પણ પહોંચી હતી. 600 ટનની ક્રેનને દૂર ખસેડવા ત્રણ અન્ય ક્રેન લાવવામાં આવી 600 ટનની વિશાળકાય ક્રેન ધરાશાયી થઈ હોવાથી તેને હટાવવા માટે ભારે મશીનરી અને ક્રેનની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી 500 ટનની બે અને 750 ટનની 1 એમ ત્રણ વિશાળ ક્રેન તેમજ જેસીબી મશીન સહિતની મશીનરી બોલાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ પણ પહોંચી ગયા હતા. સવારે 9:00 વાગ્યાની આસપાસ 500 ટનની બે વિશાળ ક્રેન બોલાવી લેવામાં આવી હતી ત્યારબાદ 750 ટનની ક્રેન લાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી બપોરે 12 વાગ્યાની આસપાસ આ ક્રેન ત્યાં પહોંચી હતી અને

કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી માટે 15 મીટર સુધી રેલવે ટ્રેક તોડવો પડ્યો અમદાવાદ-મુંબઈ રેલ્વે વ્યવહાર પર ડાઉનલાઇન પર ક્રેન ઉભી કરવાની જરૂરિયાત ઊભી થતા રેલવેનો અંદાજિત 10થી 15 મીટર લાંબો રેલવે ટ્રેક કાપી અને દૂર કર્યો હતો. ત્યારબાદ એક ક્રેન ટ્રેકની જગ્યા ઉપર રાખવામાં આવી હતી ત્યાંથી ગેન્ટ્રી (વિશાળ ક્રેન)ના એસ સેક્શન છે તેમાંથી એક સેક્શનને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મશીનરીના ઉપયોગથી ક્રેનનો એક તરફનો ભાગ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ઉતારી લેવામાં આવ્યો હતો. બીજા ભાગને ઉતારવાની કામગીરી હજી સુધી ચાલી રહી છે જે લગભગ સોમવાર મોડી રાત સુધી ચાલશે. ખૂબ જ વિશાળ

ક્રેન હોવાથી સાવચેતીપૂર્વક આવી કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવારે બપોર સુધીમાં અમદાવાદ-મુંબઈને રેલ વ્યવહાર પૂર્વવત થવાની શક્યતા પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અને નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સતત આ કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે હાલમાં 300 થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓની મદદ લઈ અને ક્રેનને ત્યાંથી હટાવવામાં આવી રહી છે. વિશાળ ક્રેન ઉતારવાની કામગીરી પૂર્ણ થયા બાદ જ રેલવેને તેના ટ્રેક અને ઓવરહેડ વાયર સરખો કરવા માટે પણ સમય લાગશે. જેના કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર હજી મંગળવાર બપોર સુધી પૂર્વવત થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

Leave a Reply

Related Post