IITEનો સાતમો પદવીદાન સમારોહ: ગાંધીનગરમાં 3010 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીના હસ્તે પદવી એનાયત

IITEનો સાતમો પદવીદાન સમારોહ:ગાંધીનગરમાં 3010 વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીના હસ્તે પદવી એનાયત
Email :

ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો સાતમો પદવીદાન સમારોહ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ સમારોહમાં 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. શિક્ષણ રાજ્ય મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ

છે. તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા શિક્ષકોને આહ્વાન કર્યું. IITE શિક્ષકોને પ્રશિક્ષણ આપતી ભારતની પ્રથમ સંસ્થા છે. સંસ્થાના કુલપતિ રમેશ પટેલે જણાવ્યું કે IITE ભારતીય પરંપરાના જ્ઞાન સાથે શિક્ષક શિક્ષણના નવા યુગની શરૂઆત કરી રહી છે. NCTEના

પૂર્વ અધ્યક્ષ પ્રો. સંતોષ પાંડાએ વિકસિત ભારતના નિર્માણમાં IITEના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે પદવીધારક વિદ્યાર્થીઓ દેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જ્ઞાનને શિક્ષણ પ્રણાલી દ્વારા બાળકો સુધી પહોંચાડશે. તેમણે IITE ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય બને તેવી શુભેચ્છા પાઠવી.

Related Post