AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા: અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે

AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા:અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે
Email :

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ કરેલા હુમલામાં 4 માસની બાળકીનું મોત થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 મે હોય ત્યાં સુધીમાં જે લોકો રજિસ્ટ્રેશન ન કરાવે તેની સામે કડક કાર્યવાહીની AMCએ તૈયારી કરતા જ લોકો રજિસ્ટ્રેશન માટે દોડ્યા છે. એક જ દિવસમાં 297 જેટલા પેટ ડોગ માલિકો દ્વારા 330 જેટલા

ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 1 જાન્યુઆરીથી 15 મે સુધીમાં 6088 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. 31 મે સુધીમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો કોર્પોરેશનના સીએનસીડી વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવશે. આગામી દિવસોમાં પેટ ડોગ માટે ખૂબ કડક પોલિસી લાવવામાં આવશે જેમાં પેટ ડોગને જપ્ત કરવાથી લઈને હરવા-ફરવા ઉપર પણ પ્રતિબંધ મુકાઈ શકે છે. AMCમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હાથીજણ વિસ્તારમાં ચાર માસની બાળકી પર હુમલો કરી મૃત્યુ

નીપજાવવા જવાની ઘટના બાદ સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેટ ડોગ રજીસ્ટ્રેશન ન કરાવનારા ડોગ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગેની નીતિ લાવવા જણાવવામાં આવ્યું છે ત્યારે 15 મેના એક જ દિવસમાં અમદાવાદમાં 297 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 330 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. દરરોજ હવે 100 થી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થાય તેવી શક્યતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન નહીં કરાવનારા પેટ ડોગના માલિકો સામે

કડક પગલાંની તૈયારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં પેટ ડોગ રાખનારા માલિકો જો પોતાના ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેના માટે હવે પેટ ડોગ પોલિસી એક અઠવાડિયામાં બનાવવામાં આવી શકે છે. જે પેટ ડોગના માલિકો દ્વારા 31 મે બાદ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌપ્રથમ તેમને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે જો તેઓ દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો ત્યારબાદ પોલીસી અંતર્ગત જે પણ નિયમો લાગુ કરવામાં આવે

તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 15 મે સુધીમાં AMCમાં 12 ટકા પેટ ડોગનું જ રજિસ્ટ્રેશન થયું અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનની સંખ્યા અંદાજે 50000થી વધારે છે. 1 જાન્યુઆરી 2025થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 15 મે 2025 સુધીમાં 6088 જેટલા ડોગના રજીસ્ટ્રેશન થયા છે જેમાં 3512 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 4057 ડોગ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. હાથીજણ વિસ્તારની ઘટના બાદ પેટ ડોગ રાખનારા માલિકો જો રજીસ્ટ્રેશન ના કરાવે તો કડક કાર્યવાહી કરવા અંગેના

સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી કરવા અંગેના નિર્ણય બાદ લોકો હવે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 31 મે સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નોટિસ મળશે CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 31 માર્ચ એમ ત્રણ મહિના હતી. જેની તારીખ લંબાવીને 31 મે 2025 સુધી કરવામાં

આવી છે. એક જ દિવસમાં લોકો દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશન કરાવવાની સંખ્યામાં વધારો થયો છે. આગામી 31 મે સુધીમાં જે લોકો રજિસ્ટ્રેશન નહીં કરાવે તેઓને નોટિસ ફટકારવામાં આવશે અને તેમના રજીસ્ટ્રેશનની પેનલ્ટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે. કેટલ પોલિસીની માફક પેટ ડોગ પોલિસી લવાશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં પશુઓના રજીસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન ( પેટ ડોગ) માટે રજીસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન

દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે જો કે આ પોલીસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 200 ચૂકવવાના રહેશે. જેમાં pay ઉપર ક્લિક કરી ફી પી ચુકવી શકાશે. આ

પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 31 મે 2025 સુધીમાં કરાવવાનું રહેશે.

Leave a Reply

Related Post