બિલ્ડિંગ હલવાનું શરૂ થતાંની સાથે લોકો જીવ બચાવવા નીચે ભાગ્યા: વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી, 3 મહિલા સહિત 4નો બચાવ; 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય હતી

બિલ્ડિંગ હલવાનું શરૂ થતાંની સાથે લોકો જીવ બચાવવા નીચે ભાગ્યા:વડોદરામાં 35 વર્ષ જૂનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી, 3 મહિલા સહિત 4નો બચાવ; 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય હતી
Email :

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાતે 10.30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી. બિલ્ડિંગ હલતું હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી. આ દરમિયાન બે યુવક ફસાઇ ગયા હતા. સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પરિવારની 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળી જતાં તેમનો પણ બચાવ થયો હતો. રાતે 10.45એ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં 11 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ

હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહિ? એની પુષ્ટિ કરવા માટે JCBની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. લાશ્કરોની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનાને પગલે 4 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. કોર્પોરેટરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા સમતાના 33 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બની રહ્યો હતો, જેનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન રવિવારે મોડીરાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતાં 2થી

3 પરિવારના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા, જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી એમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગ રૂપે નીચે ઉતારી લેવાયા હતા. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીપી-13, વડીવાડી અને ઇઆરસીની ટીમોએ અંદર કોઇ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે 2 જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી મોડીરાત સુધી હાથ ધરાઈ હતી. ઘટનાને પગલે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કોર્પોરેટર શ્રીરંગ આયરે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હેલોજનની

લાઇટમાં રેસ્ક્યૂ કરાયું, 4 એમ્બ્યુલન્સ સ્થળ પર જ સ્ટેન્ડબાય ફાયરબ્રિગેડની ત્રણ ટીમ દ્વારા અંદર કોઇ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વીજપુરવઠો ના હોવાથી હેલોજન લગાવી કામગીરી કરવામાં આવી હતી. એ સાથે 4 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. પાદરાના વડુના મોહંમદભાઇને ઉચ્ચક 9 લાખ રૂપિયામાં સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવા માટે કામ આપવામાં આવ્યું હતું, જેમાં તેઓ રોજ 4 મજૂરોને લાવી કામ કરાવતા હતા, જોકે મોહંમદભાઇએ પોલીસને જણાવ્યું હતું કે રવિવારના રોજ

પણ ઉચ્ચક 4 મજૂરને કામ માટે લાવ્યા હતા, પરંતુ બપોરે 3.30 કલાકે પરત મૂકી આવ્યા હતા, જોકે કોઇ મજૂર આવીને સૂતો હોય તો એની કોઇ જાણ નથી. ડ્રિલર વડે કામગીરી કરતાં બિલ્ડિંગ વાઇબ્રેટ થવાથી ફ્લેટ ધરાશાયી થયોઃ કોર્પોરેટર આ મામલે કોર્પોરેટર શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે સૂર્યકિરણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન થતું હતું. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પરના પાર્ટિશનની દીવાલ હટાવી દેવામાં આવી હતી અને કારીગરો ડ્રિલર વડે કામગીરી કરતાં બિલ્ડિંગ વાઇબ્રેટ થતું હતું. એના કારણે ફ્લેટ ધરાશાયી

થયો હોય એમ લાગી રહ્યું છે. અગાઉ નિર્ભયતા શાખા દ્વારા મેઇન્ટેનન્સ માટે નોટિસ આપવામાં આવેલી છે. રસોડામાં જમવાનું બનાવતી હતી ત્યારે અમારી સામેનો ફ્લેટ પત્તાંની જેમ પડ્યોઃ રેણુકાબેન સમગ્ર ઘટના જોનાર રેણુકા નાયકે જણાવ્યું, અમારી સામેનો ફ્લેટ હતો અમારું રસોડું સામસામે હતું. અમે જમવાનું બનાવી રહ્યાં હતાં ત્યારે એ ફ્લેટમાં પણ તે બહેન જમવાનું બનાવી રહ્યાં હતાં. અમે ઇશારામાં વાતચીત પણ કરી. પછી અમે અમારા બહારના રૂમમાં ગયાં અને એટલામાં 9 કલાકે તેમનો ફ્લેટ પત્તાંની જેમ પડ્યો અને

ધડાકા જેવો અવાજ આવ્યો હતો. અજુગતું લાગતાં જોયું તો ફ્લેટ ધસતો હોય એમ લાગ્યુંઃ સજ્જનબેન સૂર્યકિરણ ફ્લેટના રહીશ સજ્જનબેન ગુજ્જરે જણાવ્યું, અમે ઘરમાં આરામ કરી રહ્યાં હતાં. એ દરમિયાન અમને અજુગતું લાગતાં એક બાજુનો ભાગ બેસતો લાગ્યો હતો. એટલે અમે ઘર તેમનું તેમ છોડી પોતાનો જીવ બચાવવા માટે નીચે ઊતર્યા હતા. જેથી અમારો બચાવ થયો હતો. એક વર્ષનો પૌત્ર સૂતો હતો, તે ઉઠાવી જીવ બચાવવા નીચે ભાગ્યાઃ રમેશચંદ સૂર્યકિરણ ફ્લેટના રહીશ રમેશચંદ અગ્રવાલે જણાવ્યું હતું કે અમે સૂવા માટે

તૈયારી કરી રહ્યા હતા ત્યારે ઉપરના માળે રહેતા લોકો દોડીને નીચે આવી ઊતર્યા, જેથી અમને પણ બૂમો સંભળાઇ. અમે બહાર જોયું તો ફ્લેટ ધસાતો હતો. મારો 1 વર્ષનો પૌત્ર સૂઇ રહ્યો હતો, તેને ઊંચકી જીવ બચાવી નીચે ઊતર્યા હતા. રિનોવેશનમાં દીવાલ હટાવી દેવાથી ધરાશાયી થયું હોય એવી સંભાવનાઃ લીના પાટીલ જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનનું કામ ચાલતું હતું. દીવાલ પર દીવાલ હોય એમ સ્ટ્રક્ચર હતું, જેથી કામગીરી દરમિયાન વચ્ચેની દીવાલ હટાવી

દેવાના કારણે ફ્લેટ ધરાશાયી થયા હોય એવી સંભાવના છે. સમતા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલો 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ફ્લેટમાં રહેતા રહીશોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી. બે યુવક ફસાઇ ગયા હતા, પણ તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 3 મહિલા સહિત 1 યુવક બહાર નીકળતાં તેમનો પણ બચાવ થયો હતો. રાત્રે જેસીબીની મદદથી કાટમાળ હટાવી કોઇ દબાયું છે કે નહીં એની પુષ્ટિ શરૂ કરાઇ હતી.

Related Post