કેનેડાની કેબિનેટમાં ભારતીયોનો દબદબો: ભારતીય મુળના 4 નેતાઓને કેનેડાની સંસદમાં મળ્યું સ્થાન, જાણો કોણ છે આ 4 નેતા

કેનેડાની કેબિનેટમાં ભારતીયોનો દબદબો:ભારતીય મુળના 4 નેતાઓને કેનેડાની સંસદમાં મળ્યું સ્થાન, જાણો કોણ છે આ 4 નેતા
Email :

કેનેડામા નવા મંત્રીમંડળમાં ભારતીય મુળના 4 નેતાઓને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમાં અનીતા આનંદથી લઈને રૂબી સહોતા, રણદીપ સરાય, મનિંદર સિદ્ધુના નામ સામેલ છે. આ ઉપરાંત અત્યાર સુધી રેકોર્ડ તોડતા ભારતીય મુળના 22 ઉમેદવાર સંસદ પહોંચી ગયા છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીમા મંત્રીમંડળમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય મુળના લોકોનું સામેલ થવું ભારતમાટે ગૌરવની વાત છે. ચાલો જાણીએ કે આ ચાર દિગ્ગજો કોણ છે

અને તેમને કયા પદ મળ્યા છે? ભારતીય મૂળના અનિતા આનંદ કેનેડાના વિદેશ મંત્રી બન્યા ભારતીય મૂળના અનિતા આનંદને કેનેડાના નવા વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે મંગળવારે મંત્રી પદના શપથ લીધા હતા. અનિતા આનંદ કેનેડાના પ્રથમ હિન્દુ મહિલા સાંસદ અને કેબિનેટ મંત્રી છે. તેમણે ગીતા પર હાથ મુકીને શપથ લીધા હતા. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી કડવાશને દૂર કરવામાં તેમની ભૂમિકા

મહત્વપૂર્ણ રહેશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાના 28 સભ્યોની કેબિનેટની જાહેરાત કરી હતી. નવા મંત્રી મંડળમાં 4 લોકોને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી છે. આ પહેલા જસ્ટિન ટ્રુડોના હાથે જવાબદારી લીધા બાદ પીએમ માર્ક કાર્નીએ 24 સભ્યોની કેબિનેટ બનાવી હતી, જેમાં ભારતીય મુળના 2 લોકો પણ સામેલ હતા. મનિંદર સિદ્ધુઃ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી બ્રૈમ્પટન ઈસ્ટના સાંસદ મનિંદર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. તેમનો

કાર્યકાળ અમેરિકાના વ્યાપારિક વિવાદો વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સિદ્ધુ પંજાબથી છે અને નાનપણમાં કેનેડા આવી ગયા હતાં. તે પહેલાં અનેક મંત્રીઓના સંસદીય સચિવ રહી ચુક્યા છે. કોણ છે રણદીપ સરાય કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં રણદીપ સરાયને આંતરરાષ્ટ્રીય વિકાસ મામલાના રાજ્ય સચિવનું પદ મળ્યું છે. રણદીપે કેનેડામાં જ પોતાનું શિક્ષણ મેળવ્યું છે અને ત્યાંના રાજકારણમાં ઘણા સમયથી રહેલા છે. આ સંસદ સભ્ય

તરીકે સરાયનો ચોથો કાર્યકાળ છે. તેમણે પહેલીવાર 2015માં ચૂંટાયા હતા, બાદમાં 2019 અને 2021માં ફરી ચૂંટાયા. આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ તરીકે, સરાઈ કેનેડાના વૈશ્વિક સહાય પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે, જેમાં માનવતાવાદી સહાય, શિક્ષણ, આરોગ્ય સંભાળ પહેલ અને ગરીબી નાબૂદી કાર્યક્રમો સામેલ છે. કોણ છે રૂબી સહોતા રૂબી સહોતાને અપરાધ નિયંત્રણ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે 2015થી બ્રૈમ્પટન નૉર્થના સાંસદ તકૃરીકે કામ કરી

રહ્યા છે. રૂબીએ સસ્કેચેવાનના યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી મેળવી છે. રૂબી વ્યવસાયે વકીલ હતા અને યુવા મુદ્દાઓ પર કામ કરતા હતા. અત્યાર સુધીનો રેકોર્ડ તૂટી ગયો છે કેનેડિયન કેબિનેટમાં આ પહેલી વાર બન્યું છે કે સંસદમાં 22 ઉમેદવારો ભારતીય મૂળના હતા. અગાઉ, સૌથી વધુ સંખ્યા 17 હતી. કેનેડિયન કેબિનેટમાં હવે દર વર્ષે ભારતીય મૂળના લોકોની સંખ્યા વધી રહી છે જે આપણા દેશ માટે ગર્વની વાત છે.

Leave a Reply

Related Post