ટેકસટાઇલ માર્કેટમાં ખરીદીમાં 40 ટકાનો ઘટાડો: ધર્મેન્દ્ર રોડ પરની કપડાની 2000 દુકાનોમાં વેકેશનની સીઝન છતા ખરીદદારો ઘટયા, દાણાપીઠમાં 200 દુકાનોમાં ખાદ્યચીજવસ્તુઓનો પૂરતો જથ્થો

ટેકસટાઇલ માર્કેટમાં ખરીદીમાં 40 ટકાનો ઘટાડો:ધર્મેન્દ્ર રોડ પરની કપડાની 2000 દુકાનોમાં વેકેશનની સીઝન છતા ખરીદદારો ઘટયા, દાણાપીઠમાં 200 દુકાનોમાં ખાદ્યચીજવસ્તુઓનો પૂરતો જથ્થો
Email :

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં લોકોમાં થોડો ડરનો માહોલ છે ત્યારે રાજકોટની બજારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવા માટે ન્યુ ગુજરાતની ટીમ શહેરની ઐતિહાસિક ગણાતી ધર્મેન્દ્ર રોડ પરની બજારમાં પહોંચી હતી. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓનું વેચાણ અહીંથી થાય છે એવામાં દાણાપીઠ બજાર કે જ્યાંથી અનાજ, કઠોળ, ખાંડ અને તેલ સહિતની ખરીદી થતી હોય છે ત્યાં કોઈ જ અસર હાલ નથી. અહીં 200 જેટલી દુકાનના

વેપારીઓ પાસે પૂરતો સ્ટોક છે. જ્યારે ટેક્સટાઇલ બજાર કે જ્યાં દર વર્ષે ઉનાળુ અને વેકેશનની સિઝનમાં ધમાકેદાર ખરીદી થતી હોય છે ત્યાં હાલ ખરીદીમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. કાપડ અને રેડીમેઇડ કપડા સહિતની ખરીદી કરવા આવતા લોકો ઘટયા છે. અહીં 2000 જેટલી કપડાની દુકાન આવેલી છે. ખરીદીમાં 35થી 40%નો ઘટાડો જોવા મળ્યો રાજકોટ હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે ન્યુ ગુજરાતને

જણાવ્યું હતું કે, યુદ્ધને હિસાબે છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં થોડો ફેરફાર થયો છે. કાપડ બજારમાં ખરીદી માટે આવતા લોકોની સંખ્યા ઓછી થઈ છે. ખરીદીમાં 35થી 40%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે, જેથી એપ્રિલથી જૂન મહિના સુધી કપડાની ખરીદી ખૂબ જ સારી થતી હોય છે પરંતુ, છેલ્લા બે-ત્રણ દિવસથી યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિને કારણે ખરીદીમાં ઘટાડો થયો છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી

ઠેકાણા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે, જેને લઇને લોકોમાં થોડી ગભરાહટ પણ છે. જેનાથી બજારમાં વાતાવરણ ઠંડુ છે. યુદ્ધની પરિસ્થિતિના કારણે કપડાની ખરીદીમાં ઘટાડો થયો છે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ અને પરા બજાર રાજકોટ શહેરની ઐતિહાસિક અને ખૂબ જ જૂની બજારો છે. અહીં ટેક્સટાઇલ ટ્રેડને લગતા 1500થી 2000 જેટલા વેપારીઓ છે. અમદાવાદ, સુરત, દિલ્હી, લુધિયાણા અને ધિરૂપુરથી બાળકો અને લેડીઝ વેરના કપડાઓની

આવક થતી હોય છે. સોની બજાર, કંસારા બજાર અને દાણાપીઠ અહીં નજીક છે. આ મુખ્ય બજારમાંથી જીવનજરૂરી તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળતી હોય છે. જોકે, હાલ યુદ્ધની પરિસ્થિતિના કારણે કપડાની ખરીદીમાં ઘટાડો થયો છે. માલની સપ્લાયમાં કોઈ અસર થઈ નથી જ્યારે રાજકોટ દાણાપીઠ એસોસિએશનના પ્રમુખ જતીન બગડાઇએ જણાવ્યું હતું કે, શહેરની દાણાપીઠ બજારમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિની કોઈ જ અસર દેખાતી નથી. દાણાપીઠમાં 200 જેટલી દુકાનો આવેલી છે,

જે બધી જ રાબેતા મુજબ ધમધમે છે. અહીં અનાજ, કઠોળ, ડ્રાયફુટ, તેલ, ખાંડ સહિતનો પુરવઠો વ્યવસ્થિત મળી રહે છે. હાલમાં મર્યાદિત સ્ટોક છે, કોઈપણ પ્રકારનો વાંધો આવે એવું નથી. અમદાવાદ, દિલ્હી અને પંજાબમાંથી આ તમામ પ્રકારનો માલ આવતો હોય છે. માલની સપ્લાયમાં કોઈ અસર થઈ નથી અને વેપારીઓ સંગ્રહખોરી પણ કરતા નથી. ભવિષ્યમાં સ્ટોકના ઘટાડાની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો કલેક્ટર તંત્ર અમારી સાથે છે.

Leave a Reply

Related Post