વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી: હિંમતનગરના ગાયત્રી આશ્રમમાં 6 બટુકોના યજ્ઞોપવીત અને 11 કુંડી મહાયજ્ઞનું આયોજન

વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી:હિંમતનગરના ગાયત્રી આશ્રમમાં 6 બટુકોના યજ્ઞોપવીત અને 11 કુંડી મહાયજ્ઞનું આયોજન
Email :

હિંમતનગરના ખેડ તસીયા રોડ સ્થિત શ્રી સિદ્ધ પીઠ ગાયત્રી આશ્રમમાં વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમના સંચાલક કનુભાઈ સુથારના જણાવ્યા અનુસાર, સવારે 7:30 કલાકથી સામૂહિક યજ્ઞોપવીત સંસ્કાર કાર્યક્રમનો પ્રારંભ થયો,

જેમાં 6 બટુકોની પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવી. આશ્રમમાં બિરાજમાન વિશ્વકર્મા દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું. યજ્ઞોપવીત સંસ્કાર પૂર્ણ થયા બાદ 11 કુંડી વિશ્વકર્મા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન સમયે વિશ્વકર્મા દાદાની મહાઆરતી

કરવામાં આવશે અને ત્યારબાદ સૌ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ માંગલિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ છે. વિશ્વકર્મા જયંતીના આ પાવન પર્વે યોજાયેલા સામૂહિક ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

Related Post