કમોસમી આફત: મહુવામાં 7 ઇંચ વરસાદ, રાજ્યભરમાં 21નાં મોત

કમોસમી આફત:મહુવામાં 7 ઇંચ વરસાદ, રાજ્યભરમાં 21નાં મોત
Email :

એક સાથે ત્રણ અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વાવાઝોડા સાથે વરસાદ થઇ રહ્યો છે. મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇ પોણા 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભાવનગરના મહુવામાં સતત 6 કલાકમાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુડલામાં સવા 2 ઇંચ,

લીલીયા અને અમેરલીમાં 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને કડાકા-ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં 21 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 72 પશુઓના મોત થયા છે. વાવાઝોડા સાથેના વરસાદે મધ્ય-પૂર્વ ગુજરાતમાં સૌથી વધુ નુકશાન કર્યું છે. જ્યારે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકોને ભારે નુકશાન થયું છે. - કચ્છ : 4 પશુના મોત, બાગાયતી પાકને નુકશાન કચ્છમાં મંગળવારે વાવાઝોડા

સાથે થયેલા વરસાદથી 4 પશુઓના મોત નીપજ્યા હતા. જ્યારે ખારેક, દાડમ અને કેરીના પાકને નુકશાન થયું હતું. આજે રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારમાં 8 ઇંચ સુધીના વરસાદની શક્યતા | આજે રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારમાં 8 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. પ્રતિ કલાકે 60 થી 70 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર,

સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ સુધીના વરસાદની શક્યતાને લઇ ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વીજળી પડવાની 2 યુવકના મોત અને કડાકાના અવાજથી 1 યુવતીનું મોત થયું છે. જ્યારે 45 પશુઓના મોત નિપજ્યાં છે. 12 મકાનોને નુકશાન સાથે 15 કરતાં વધુ રસ્તાઓ વૃક્ષો પડવાથી વાહન વ્યવહાર ખોટકાયો હતો.

બાજરી સાથે બાગાયતી પાકોને ભારે નુકશાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં મંગળવારે વરસાદના કારણે વૃક્ષો અને વીજપોલ પડવાથી વીજપુરવઠો ખોટકાયો હતો. વૃક્ષો પડવાથી વાહન વ્યવહાર ખોટકાયો હતો. ઉનાળુ ડાંગર અને 2 હજાર મણ કેરીના પાકને નુકશાન પહોંચ્યું હતું. મધ્ય-પૂર્વ ગુજરાતમાં વાવાઝોડા, વરસાદ અને વીજળીના કારણે કુલ 17 વ્યક્તિઓના મોત અને 20ને ઈજા થઈ છે. 23 પશુના મોત, 474 વીજ પોલ

ધારાશાઇ થતાં 1496 ગામનો વીજપુરવઠો ખોટકાયો. વાવાઝોડા સાથેના વરસાદથી પાકને વ્યાપક નુકશાન થયું છે. સૌરાષ્ટ્ર : 1 નુ મોત, કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન | રાજુલા પંથકમાં ઘરની પેેરાફિટ માથે પડતાં વૃદ્ધનું મોત નીપજ્યું, જ્યારે વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે ગીર, સાસણ, તલાલા અને રાજુલામાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. વીજપોલ અને વૃક્ષો પડવાથી વીજપુરવઠો ખોટકાયો હતો.

Leave a Reply

Related Post