ભારતીય હુમલામાં પાકિસ્તાનના 9 આતંકી ટ્રેનિંગ સેન્ટર-લોન્ચપેડનો સફાયો: હિઝબુલનો ટ્રેનિંગ કેમ્પ, જૈશનું સૌથી મોટું હેડક્વાર્ટર, લાદેનની ફંડિંગવાળું મકરઝ ધ્વસ્ત

ભારતીય હુમલામાં પાકિસ્તાનના 9 આતંકી ટ્રેનિંગ સેન્ટર-લોન્ચપેડનો સફાયો:હિઝબુલનો ટ્રેનિંગ કેમ્પ, જૈશનું સૌથી મોટું હેડક્વાર્ટર, લાદેનની ફંડિંગવાળું મકરઝ ધ્વસ્ત
Email :

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે, જેને સેનાએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. ગુપ્તચર એજન્સી RAWના ઇનપુટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, આમાં જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 આતંકવાદી ઠેકાણાનો સમાવેશ થાય છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના મુખ્ય

મથકનો નાશ કરાયો ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય મરકઝ સુભાનને નિશાન બનાવ્યું છે. બહાવલપુર શહેર જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)નો ગઢ છે. આ સાથે ભારતે મુરીદકે શહેરમાં ઉમાલાકુરા મસ્જિદને પણ નિશાન બનાવી છે. મુરીદકે લશ્કર-એ-તૈયબાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, લશ્કરનું મરકઝ-એ-તૈયબા સંકુલ મુરીદકેમાં જ આવેલું છે, જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, ભારતે મુઝફ્ફરાબાદમાં બિલાલ

મસ્જિદ અને કોટલીમાં અબ્બત મસ્જિદને નિશાન બનાવ્યા છે. 1. મરકઝ સુભાન અલ્લાહ, બહાલપુર- જૈશનું મુખ્યાલય 2. મરકઝ તૈયબા, મુરીદકે પંજાબ-લશ્કર કેમ્પ, લાદેને ફંડ પૂરું પાડ્યું ૩. સરજલ, તાહરા કલાં ફેસિલિટી, જૈશની મહત્વપૂર્ણ લોન્ચિંગ સાઇટ 4. મહમૂના ઝોયા, સિયાલકોટ- હિઝબુલ મુજાહિદ્દીનનો ટ્રેનિંગ કેમ્પ 5. મરકઝ અહલે હદીસ, બરનાલા (PoK)- લશ્કર-એ-તૈયબાનો મુખ્ય આધાર 6. મરકઝ અબ્બાસ, કોટલી, જૈશનું મુખ્ય કેન્દ્ર મસ્કર

રાહિલ શાહિદ, કોટલી (PoK)- હિઝબુલનું તાલીમ કેન્દ્ર 8. શવાઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ- લશ્કર-એ-તૈયબા 9. સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદ - જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનના મંત્રીનો દાવો- 5 ભારતીય જેટ તોડી પાડવામાં આવ્યા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે તેમણે 3 રાફેલ, 1 સુખોઈ અને 1 મિગ-29 સહિત 5 ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યા છે. ખ્વાજાએ કેટલાક ભારતીય સૈનિકોને

કસ્ટડીમાં લેવાની વાત પણ કરી હતી. જોકે, આસિફે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે કોઈ ભારતીય સૈનિકને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. નિવેદન અનુસાર, ભારતે 6 અલગ અલગ વિસ્તારોમાં કુલ 24 મિસાઇલો છોડ્યા છે. રાફેલ તોડી પાડવામાં આવ્યાના ખોટા સમાચાર પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યા પાકિસ્તાની મીડિયા પણ ભારતીય જેટને

તોડી પાડવા સંબંધિત તસવીરો ચલાવી રહ્યું છે. જોકે આ ફોટો નકલી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલી તસવીર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રેશ થયેલા જગુઆર વિમાનની છે, જેને રાફેલની તસવીર હોવાનો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની મીડિયામાં રાફેલ તોડી પાડવામાં આવ્યાના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે... સપ્ટેમ્બર 2024માં ભારતમાં ક્રેશ થયેલા જગુઆર વિમાનની તસવીર

Leave a Reply

Related Post