'જે દેશભક્ત છે તે 'ખલનાયક' ન હોઈ શકે': સુનિલ શેટ્ટીએ યૂઝર્સને આપ્યો જવાબ- કહ્યું 'મૈં હૂં ના'માં રાઘવનનું પાત્ર બહારથી ખલનાયક પણ અંદરથી દેશભક્ત હતું

'જે દેશભક્ત છે તે 'ખલનાયક' ન હોઈ શકે':સુનિલ શેટ્ટીએ યૂઝર્સને આપ્યો જવાબ- કહ્યું 'મૈં હૂં ના'માં રાઘવનનું પાત્ર બહારથી ખલનાયક પણ અંદરથી દેશભક્ત હતું
Email :

22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને શોકમાં ડુબાડી દીધો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ હુમલાની તુલના ફિલ્મ 'મૈં હૂં ના'માં સુનીલ શેટ્ટીના પાત્ર 'રાઘવન' સાથે કરી. તે કહે છે કે આ હુમલા સામે તો ફિલ્મમાં તેનો રોલ ખલનાયકનો નહોતો. ખરેખર, સુનીલ શેટ્ટી તેની આગામી ફિલ્મ 'કેસરી વીર'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ

દરમિયાન તેણે ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરી. તેણે કહ્યું, 'જે દેશભક્ત છે તે ખલનાયક ન હોઈ શકે.' ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ, રાઘવન ખલનાયકની ભૂમિકામાં હતો. પણ જ્યારે મેં વાર્તા સાંભળી, ત્યારે મેં બે મિનિટમાં જ હા પાડી દીધી. મને હજુ પણ યાદ છે, ફરાહ ખાને મને પૂછ્યું હતું કે શું હું ખરેખર આ ભૂમિકા કરવા માગુ છું, કારણ કે

તે એક નેગેટિવ પાત્ર હતું. 'આ પહેલા ઘણા સ્ટાર્સે આ ભૂમિકા કરવાનો ઇનકાર કરી દીધો હતો. આમાં નાના પાટેકર અને કમલ હાસનના નામ પણ સામેલ હતા. પણ મારા મતે આ ભૂમિકા નકારાત્મક કેવી રીતે હોઈ શકે? આપણો દુશ્મન એનો એ જ રહેશે. હવે ફિલ્મ મુજબ, મારા દીકરાને સરહદની બીજી બાજુ માર્યો ગયો હતો. હું ફક્ત તેનો મૃતદેહ પાછો મેળવવા માગતો

હતો, પણ તેઓ તૈયાર નહોતા. તો પછી દુશ્મનાવટ તો વધી જ જશે ને?' સુનીલ શેટ્ટી આગળ કહે છે કે, ફિલ્મ 'કેસરી વીર' માં તેમનું પાત્ર યૌદ્ધાનું છે, જે દેશ પ્રત્યેના તેના પ્રેમને દર્શાવે છે. આ પહેલા પણ તેણે 'બોર્ડર', 'કયામત: સિટી અંડર થ્રેટ' અને મૈં હૂં ના ફિલ્મોમાં આ પ્રકારની જ ભૂમિકાઓ ભજવી હતી. સુનીલ શેટ્ટીએ કહ્યું, મને ખુશી

છે કે હવે એવી ફિલ્મો બની રહી છે જેમાં બતાવવામાં આવે છે કે, સનાતન ધર્મ શું છે. આપણે શું માનીએ છીએ? આપણે શું કહેવા માગતા હતા અને હજુ પણ દુનિયાને શું કહેવા માગીએ છીએ? આપણે કોણ છીએ. જેમ મેં હંમેશા કહ્યું છે, ધર્મ, કર્મ અને સેવા આપણી માન્યતાઓ છે અને તે જ આ ફિલ્મનો વિષય છે.' પહેલગામ આતંકવાદી હુમલા પર

સુનિલ શેટ્ટીનું નિવેદન એક તરફ, ઘણા બોલિવૂડ સ્ટાર્સે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તે જ સમયે, એક્ટર સુનિલ શેટ્ટીએ દેશવાસીઓને તેમની આગામી રજાઓ કાશ્મીર ખીણમાં વિતાવવાની અપીલ કરી છે. તેણે કહ્યું કે, આપણે નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને આ સંદેશ આપવો પડશે કે કાશ્મીર આપણું હતું, આપણું છે અને હંમેશા આપણું જ રહેશે.

Leave a Reply

Related Post