43 વર્ષથી અવિરત ચાલતી બુધસભાની વિશેષ બેઠક: કવિ ડો.નટુભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા 60 સાહિત્યપ્રેમીઓ એકત્ર થયા

43 વર્ષથી અવિરત ચાલતી બુધસભાની વિશેષ બેઠક:કવિ ડો.નટુભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા 60 સાહિત્યપ્રેમીઓ એકત્ર થયા
Email :

ભાવનગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શિશુવિહાર ખાતે બુધસભાની 2325મી બેઠક ડો.માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાઈ હતી. વર્ષ 1980થી નિરંતર ચાલી રહેલી આ સાહિત્યિક બેઠકમાં આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધસભાના વરિષ્ઠ સભ્ય અને માર્ગદર્શક કવિ ડો.નટુભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલિ આપવા

માટે તેમની જ રચેલી ગઝલો અને ગીતોનું પઠન કરવામાં આવ્યું હતું. ડો.પંડ્યા બુધસભાની પ્રથમ બેઠકથી લઈને 2324મી બેઠક સુધી સતત હાજર રહ્યા હતા. આ પ્રસંગે શિશુવિહાર સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે, મંત્રી ડો.નાનકભાઈ ભટ્ટ, ભાવનગરના જાણીતા કવિ ડો.વિનોદભાઈ જોશી અને પરિષદના સદસ્ય

દાન વાઘેલા સહિત અનેક મહાનુભાવોએ ડો.પંડ્યા સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમમાં લગભગ 60 જેટલા સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડો.પંડ્યાના પ્રિય ભાવકો, કવિમિત્રો અને પરિવારજનોનો સમાવેશ થતો હતો. સમગ્ર બેઠક દરમિયાન ડો.પંડ્યાના કાવ્યો, કાર્યો અને જીવનસુગંધને યાદ કરવામાં આવ્યા હતા.

Related Post