ટેક્સટાઈલ માર્કેટની આગે રાજસ્થાની પરિવારનો હોળીનો રંગ ફિક્કો કર્યો: દુકાન જોવા ગયા ને ભાંગી પડ્યા, કોઇના જીવનની પૂંજી બળી તો કોઈને રાતનો સળગતો નજારો આંખે તરી આવ્યો

ટેક્સટાઈલ માર્કેટની આગે રાજસ્થાની પરિવારનો હોળીનો રંગ ફિક્કો કર્યો:દુકાન જોવા ગયા ને ભાંગી પડ્યા, કોઇના જીવનની પૂંજી બળી તો કોઈને રાતનો સળગતો નજારો આંખે તરી આવ્યો
Email :

સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી થયેલા આર્થિક નુકસાનને પગલે રાજસ્થાની વેપારીઓ એકત્રિત થયા છે. સમાજના આગેવાનો અને વેપારીઓએ એકત્રિત થઈને એકબીજાનું દુઃખ હળવું કરવાનું શરૂ કર્યું છે. આકરી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી, આગામી દિવસોમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો? તે અંગે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રાજસ્થાન યુવક મંડળ દ્વારા જે હોળીનો ભવ્ય કાર્યક્રમ દર

વર્ષે કરવામાં આવતો હોય છે, તેને રદ કરી દેવામાં આવ્યો છે. આજે વેપારીઓ માર્કેટમાં જઈને પોતાની દુકાન જોઈ શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર આગ લાગ્યા બાદ માર્કેટની અંદર વેપારીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જોકે, વેપારીઓ દ્વારા દુકાનની અંદર જવા માટે સતત કોર્પોરેશનના અધિકારીઓને તેમજ સ્થાનિક નેતાઓને વિનંતી કરવામાં આવી હતી. આખરે સ્ટેબિલિટી રિપોર્ટ માટે આવેલી ટીમ દ્વારા પાંચ-પાંચ વેપારીઓને માર્કેટની અંદર 10-10 મિનિટ સુધી પોતાની દુકાન જોવા જવા માટેની મંજૂરી આપી હતી,

જેમાં વેપારીઓએ પોતાનું લેપટોપ, હિસાબના ચોપડા અને દુકાનમાં પડેલી રોકડ લઈને પરત ફરી જવાનું હતું. આ સિવાય કોઈપણ પ્રકારનો અંદર પડેલો સામાન સાથે લઈને આવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હતી. અત્યાર સુધીની પૂંજી જાણે બળી ગઈ હોય એવો અનુભવ થયો પોતાની દુકાનની અંદર ગયેલા વિનોદકુમાર ચૌધરીએ જણાવ્યું કે, આજે મંજૂરી મળતા અમે માર્કેટની અંદર અમારી દુકાન જોવા માટે ગયા હતા. દુકાનના માત્ર પીલર જ જોવા મળ્યા. આખેઆખી ઓફિસ બળીને ખાક થઈ ગઈ. અમારો

લાખ રૂપિયાનો માલ સામાન બળીને રાખ થઈ ગયો. અમારી અત્યાર સુધીની પૂંજી જાણે બળી ગઈ હોય એવો અનુભવ થયો. ક્યાં જઈએ કોને કહીએ તે પણ સમજાતું નથી. પરત લાવવા માટે ફક્ત રાખ બચી હતી. રાતનો સળગતો નજારો આંખે તરી આવ્યો અન્ય એક વેપારીના પત્ની પપીયા બાઈએ જણાવ્યું કે, શિવરાત્રીના રાત્રે અમે ત્યાં જ હતા નાના-નાના વેપારીઓની દુકાનો બળી ગઈ છે. આજે અમે બધા જ રસ્તા ઉપર આવી ગયા છે. અમે સતત કહેતા રહ્યા કે, ‘જલ્દીથી

આગ બુજાવો જલ્દીથી આગ બુજાઓ’ પરંતુ, આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. શિવરાત્રીના દિવસે રાતે અમે રડતા રહ્યા મારી સાથે અન્ય મહિલાઓ પણ માર્કેટ ઉપર પહોંચી હતી. અમે અમારી નજરની સામે દુકાનો સળગતી જોઈ રહ્યા હતા. અમારા પરિવારનું ગુજરાન ચલાવનાર સાધન અમારી સામે જ બળીને ખાક થઈ ગયું હતું. દુકાનો બળીને ખાક થઈ ને ગલ્લામાંથી રોકડ પણ ચોરાઈ અન્ય વેપારી જીવારામભાઈએ જણાવ્યું કે, દુઃખની વાત એ છે કે, અમારી દુકાનો બળીને ખાક થઈ ગઈ પરંતુ,

જે દુકાનોની અંદર ગલ્લામાં લાખ રૂપિયા રોકડા હતા તે પણ ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. પોલીસે તપાસ કરવી જોઈએ કે, કોણ ચોરી કરી રહ્યું છે? માર્કેટની અંદર માત્ર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને ફાયરના કર્મચારીઓ જતા હતા તો ચોરી કોણે કરી? તે એક મોટો પ્રશ્ન છે. મારી માંગણી છે કે, આ અંગે તપાસ થવી જોઈએ. આજુબાજુના CCTV કેમેરા પણ ચેક કરાવવા જોઈએ કે કોણે અંદરથી ચોરી કરી છે? દુકાનમાં કંઈ

જ બચ્યું નથી અન્ય વેપારી મોતીલાલ ચૌધરીએ જણાવ્યું કે, વેપારીઓ પર જે મુશ્કેલી આવી પડી છે, તેમાં ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક અસરથી વેપારીઓને આર્થિક રીતે સહાય આપે તે ખૂબ જ જરૂરી છે. અમે બધા રોડ પર આવી ગયા છીએ. ફક્ત એટલું જ નહીં પણ અનેક લોકો બેરોજગાર પણ થઈ ગયા છે. વેપારીઓ ચારેય તરફ આશા રાખીને બેઠા છે. અમારી માનસિક સ્થિતિ સારી નથી એટલા માટે અમને ઝડપથી સહાય મળવી જોઈએ. વેપારીઓ

પર આવી પડેલી આફતના કારણે તમામ કાર્યક્રમ રદ સ્થાનિક કોર્પોરેટર અને રાજસ્થાની સમાજના અગ્રણી દિનેશ પુરોહિતે જણાવ્યું કે, રાજસ્થાનીઓનો હોળીનો તહેવાર સૌથી મોટો હોય છે પરંતુ, શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે દુર્ઘટના બની છે, તેના કારણે હવે બધા જ દુઃખી છીએ. વેપારીઓની સ્થિતિ જોતા આ વખતે રાજસ્થાન યુવક મંડળ દ્વારા જે હોળીનો ભવ્ય કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન

લાલ શર્મા હાજર રહેવાના હતા પરંતુ, જે દુર્ઘટના બની છે તેના કારણે કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 19 વર્ષથી શીતળા સાતમના ઉપલબ્ધમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને 21 માર્ચના દિવસે ખૂબ જ મોટો કાર્યક્રમ યોજવાનો હતો. દર વર્ષે અંદાજે 25000 લોકો આ કાર્યક્રમમાં હાજર આપતા હોય છે. ગુજરાતના જાણીતા લોકગાયક ગીતાબેન રબારી આ કાર્યક્રમમાં આવવાના હતા. પરંતુ જે દુઃખદ ઘટના બની છે તેના કારણે હવે આ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.

Related Post