અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત: દાણીલીમડાની 47 વર્ષીય મહિલા 23 મેથી હોસ્પિટલમાં દાખલ હતા, મૃતકને હાઇપર ટેન્શન-બીપીની બીમારી હતી, રાજકોટમાં 7 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત:દાણીલીમડાની 47 વર્ષીય મહિલા 23 મેથી હોસ્પિટલમાં દાખલ હતા, મૃતકને હાઇપર ટેન્શન-બીપીની બીમારી હતી, રાજકોટમાં 7 કેસ નોંધાયા
Email :

અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત થયું છે. અમદાવાદમાં દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. મહિલા 23 મેએ સારવાર માટે મણીનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. મૃતક મહિલાને હાઇપર ટેન્શન અને બીપી જેવી બીમારી હતી. રાજકોટમાં 7 કોરોના કેસ નોંધાયા રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા

છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ છે. કુલ 6 દર્દીઓ હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થયા આજના 2 સહિત કુલ 6 દર્દીઓ હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થઈ ગયા છે. એક દર્દી ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે પણ તેની તબિયત સ્થિર છે. બાકીના 37 દર્દીઓ હજુ પણ હોમ આઇસોલેટેડ છે. તમામની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. ગઇકાલે 5 નવા કેસ નોંધાયા હતા ગઇકાલે 1 જૂને રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસોમાં 2

મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. ગઇકાલે નોંધાયેલા 5 કેસની વિગતવાર માહિતી આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. આજે નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં

આવ્યા છે. રાજકોટમાં કોરોના કેસની ટાઈમલાઈન 19 મે: રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. રાહતની વાત એ રહી કે, હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા, અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે સકારાત્મક શરૂઆત સાબિત થયો હતો. 23 મે: શહેરનો બીજો કેસ શિવ પાર્ક વિસ્તારમાં રહેતા 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નોંધાયો. 24 મે: શહેરમાં વધુ બે નવા કેસ

સામે આવ્યા, જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આ બંને દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું હતું. 26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું. 27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો, કારણ કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા. આ કેસો નોંધાતાની સાથે

જ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું. જોકે, આ તમામ 6 દર્દીઓની તબિયત પણ સ્થિર હતી, જે એક સકારાત્મક પાસું હતું. 28 મે: 28 મેની રાત સુધી રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા. આ કેસો બિગબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને તેમાં એક મહિલા, એક સગીર અને ત્રણ પુરુષોનો સમાવેશ થતો હતો. આ દર્દીઓ પણ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. 30 મે: આ દિવસે રાજકોટમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 6 પુરુષોનો

રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 31 મે: રાજકોટમાં 4 મહિલા અને 4 પુરુષો સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જે રાહતની વાત છે. 1 જૂન: આજે રાજકોટનાં જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને કુલ દર્દીઓની સંખ્યા 37 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાંથી પણ વધુ 1 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2 થઈ છે. ભારતમાં કોવિડ-19ના 4 નવા વેરિઅન્ટ મળી આવ્યા ભારતનાં અનેક રાજ્યોમાં નવા

કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત

અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ તેના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આટલું કરો

Leave a Reply

Related Post