શ્રમજીવીના ઝૂંપડામાં એકાએક આગ ભભૂકી: પાળેલાં પ્રાણીઓ સહિત ઘરવખરી બળીને ખાખ, પરિવાર લગ્નપ્રસંગમાં રહેતા જાન બચી

શ્રમજીવીના ઝૂંપડામાં એકાએક આગ ભભૂકી:પાળેલાં પ્રાણીઓ સહિત ઘરવખરી બળીને ખાખ, પરિવાર લગ્નપ્રસંગમાં રહેતા જાન બચી
Email :

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા SMC આવાસની પાછળ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં આજે સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઝૂંપડાની અંદર ફટાકડા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં પરિવાર દ્વારા પાળવામાં આવતી કૂતરી અને તેના ત્રણ બચ્ચાં પણ જીવતા સળગી ગયા. આગ લાગવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ સૂત્રો મુજબ મહેન્દ્રભાઈ નામના વ્યક્તિનું આ ઝૂંપડું હતું, અને તેમના પરિવારના સભ્યો આજ સવારે લગ્ન પ્રસંગ માટે નીકળી ગયા હતા. આગ લાગવા પાછળનું

કારણ હજુ સ્પષ્ટ નથી પરંતુ, અંદર ફટાકડાનો સ્ટોક રહેલો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આગના કારણે ફટાકડાઓ પણ ફૂટવા લાગતા ત્યાં હાજર લોકોએ દોડધામ મચાવી દીધી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો આ ઘટનાની જાણ થતાં જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા. ફાયર ઓફિસર સંપત સુથારે માહિતી આપતાં જણાવ્યું કે, ઝૂંપડામાં રહેલો સામાન સંપૂર્ણપણે બળી ગયો હતો. ઉપરાંત, આગ આવાસની પાછળની ગેલેરી સુધી પહોંચી ગઈ હતી, જેનાથી ત્યાં લટકાવેલા કપડાં અને

અન્ય સામાન પણ બળી ગયો. જોકે, ફાયર વિભાગની ઝડપભરી કાર્યવાહીથી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો. સદનસીબે જાનહાની ટળી આ ઘટનામાં કોઈ માનવીય જાનહાની થઈ નથી, કારણ કે લગ્નપ્રસંગના કારણે પરિવારના તમામ સભ્યો બહાર ગયા હતા પરંતુ, શ્રમજીવી પરિવારે પાળેલી કૂતરી અને તેના ત્રણ બચ્ચાં આગમાં સળગી જતા કરૂણ દૃશ્ય સર્જાયું હતું. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે. આગના કારણોની વિગતવાર તપાસ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Related Post