ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની PMએ કહ્યું- 'બદલો લઈશું': સંસદમાં દાવો- 5 ભારતીય લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યાં, જેમાંથી 3 રાફેલ હતાં

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની PMએ કહ્યું- 'બદલો લઈશું':સંસદમાં દાવો- 5 ભારતીય લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યાં, જેમાંથી 3 રાફેલ હતાં
Email :

પાકિસ્તાને ભારત દ્વારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર કરવામાં આવેલા હવાઈ હુમલાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તે ભારત પાસેથી બદલો લેશે. સ્થળ અને સમય પસંદ કર્યાં પછી અમે હુમલો કરીશું. બુધવારે પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. તેણે ફરી દાવો કર્યો કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. તેણે કહ્યું હતું કે આ હુમલાના જવાબમાં પાકિસ્તાને કાર્યવાહી કરી, જેમાં 5 ભારતીય લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યાં. આમાં 3 રાફેલ છે. આનાથી સાબિત થાય છે કે પાકિસ્તાન દુશ્મનનાં વિમાનોને સમુદ્રમાં તોડી પાડવા

માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેણે કહ્યું હતું કે ભારતની કાર્યવાહીને કારણે પાકિસ્તાને વિજય મેળવ્યો છે. પાકિસ્તાનની ત્રણેય સેનાઓ ઘણા દિવસોથી તૈયારી કરી રહી હતી, જેના કારણે તેઓ ભારતીય વિમાનોને તોડી પાડવામાં સફળ રહી. શાહબાઝે કહ્યું- ભારતે યુદ્ધ માટે ઉશ્કેર્યું રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં ભારતના હુમલાને પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું. આ બેઠકમાં સેના-પ્રમુખો, ISI વડા અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. શાહબાઝે કહ્યું હતું કે આ કાર્યવાહી દ્વારા ભારતે અમને યુદ્ધ માટે ઉશ્કેર્યા છે. શાહબાઝે કહ્યું- અમે રાફેલનો સંપર્ક બંધ કરી દીધો અને તેઓ પાછાં ગયાં. ભારતીય વિમાને પાકિસ્તાનનાં 6 શહેર પર હુમલો કર્યો. આમાં POKના બે

વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાની વિમાનોએ 3 રાફેલ સહિત 5 ભારતીય વિમાનને તોડી પાડ્યાં. તેઓ શ્રીનગર અને ભટિંડામાં પડ્યાં. ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને POK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં 9 આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં છે. આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને એને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. આ નામ એ મહિલાઓને સમર્પિત છે, જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.

Leave a Reply

Related Post