'હા, મેં પણ મારું યુરિન પીધું છે': પરેશ રાવલ બાદ 'આશિકી' એક્ટ્રેસ અનુ અગ્રવાલનો દાવો, કહ્યું- એનાથી ઘડપણ નથી આવતું

'હા, મેં પણ મારું યુરિન પીધું છે':પરેશ રાવલ બાદ 'આશિકી' એક્ટ્રેસ અનુ અગ્રવાલનો દાવો, કહ્યું- એનાથી ઘડપણ નથી આવતું
Email :

બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ હંમેશાં કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પરેશ ફક્ત તેની ફિલ્મોને કારણે જ નહીં, પરંતુ તેમનાં નિવેદનોને કારણે પણ સમાચારમાં રહે છે, પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે- તેમની સારવાર માટે તેમણે અજય દેવગનના પિતાના કહેવા પર પોતાનું યુરિન પીધું હતું. એટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો કે આ સલાહ તેમના માટે ઉપયોગી સાબિત થઈ. હવે 'આશિકી' ગર્લ અનુ અગ્રવાલે પણ આ દાવાને સ્વીકાર્યો છે. તેણે કહ્યું હતું કે- પરેશ રાવલની જેમ

તેણે પણ પોતાનું યુરિન પીધું છે. એક્ટ્રેસે તો એના ઘણા ફાયદાઓ પણ ગણાવી દીધા. પરેશ રાવલને 'આશિકી' ગર્લે ટેકો આપ્યો અનુ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે પરેશ રાવલના પેશાબથી સાજા થવાના દાવા પર તમારું શું કહેવું છે? પરેશ રાવલને ટેકો આપતાં અનુ અગ્રવાલે ઇન્સ્ટન્ટ બોલિવૂડને કહ્યું, 'ઘણા લોકો આ જાણતા નથી... ભલે એ અજ્ઞાન હોય, પરંતુ પેશાબ પીવાને અમરોલી કહેવામાં આવે છે, એ વાસ્તવમાં હઠયોગમાં એક મુદ્રા છે.' મેં એનો જાતે અભ્યાસ કર્યો છે. આપણે બધાએ એનો પ્રયાસ કર્યો છે અને એ મહત્ત્વપૂર્ણ

છે, પણ એક વાત યાદ રાખો કે તમારે સમગ્ર યુરિનનો પ્રવાહ નથી પીવાનો હોતો. અનુ અગ્રવાલે જણાવ્યું કે- પેશાબ વૃદ્ધત્વવિરોધી કાર્યમાં પણ મદદ કરે છે. આનાથી ત્વચા કરચલીઓ નથી પડતી. તેણે કહ્યું કે- સ્વાસ્થ્ય ઉપરાંત આ એક સારી વસ્તુ છે, 'મેં પોતે પણ એનો ઉપયોગ કરેલો છે.' 'વિજ્ઞાન ખોટું, યોગશાસ્ત્ર સાચું' આ પછી જ્યારે અનુને પૂછવામાં આવ્યું કે- વિજ્ઞાન તો આવી પ્રથાઓમાં નથી માનતું. આના જવાબમાં તેણે કહ્યું- વિજ્ઞાન કેટલું જૂનું છે? લગભગ 200 વર્ષ. પણ યોગ? એ 10,000 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વ

ધરાવે છે. તો તમે કોની બુદ્ધિ પર વિશ્વાસ કરશો? હું તો યોગને સમર્થન આપું છું. હું યોગા જીવું છું. અનુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. શું છે સમગ્ર ઘટના? તાજેતરમાં પરેશ રાવલે 'ધ લલ્લાન્ટોપ' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ 'ઘાતક' ના શૂટિંગ દરમિયાન તે એક્ટર રાકેશ પાંડે સાથેના એક સીનમાં ઘાયલ થયો હતો. આ પછી ડેની ડેન્ઝોંગ્પા અને ટીનુ આનંદ તેને નાણાવટી હોસ્પિટલ લઈ ગયા. વીરુ દેવગને તેમને દરરોજ સવારે પોતાનો પેશાબ પીવાની સલાહ આપી હતી.

વીરુ દેવગને તેમને કહ્યું, 'બધા ફાઈટર આવું કરે છે. તને ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય.' આ પછી પરેશ 15 દિવસ સુધી દરરોજ તેમનું યુરિન પીતા હતા. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ યુરિન પીતા હતા માત્ર પરેશ રાવલ અને અનુ અગ્રવાલ જ નહીં, ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ કહ્યું હતું કે- યુરિન પીવું સારી બાબત છે. તેમણે કહ્યું કે- તે સવારે લગભગ એક કપ યુરિન પીતા હતા. તેમની સલાહ પર મહારાષ્ટ્રના પૂર્વ CM શરદ પવારે પણ યુરિન પીવાનું શરૂ કર્યું. ડૉક્ટર શું કહે

છે? ડોક્ટરોએ કહ્યું છે કે તબીબી વિજ્ઞાન એને સમર્થન આપતું નથી, આ વાતની કોઈ પુષ્ટિ નથી. ડૉ. સંજીવ ગુલાટી કહે છે કે- પેશાબમાં એવાં તત્ત્વો હોય છે, જેને શરીરે પહેલાંથી જ હાનિકારક માન્યાં હોય છે અને બહાર કાઢી નાખ્યાં હોય છે. એમાં યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન જેવાં ઘણાં ઝેરી તત્ત્વો હોય છે. જો આપણે પેશાબને શરીરમાં પાછો નાખીશું તો એમાંનાં આ ઝેરી તત્ત્વો ફરીથી શરીર પર બોજ બની જશે. વધુમાં, પેશાબમાં બેક્ટેરિયા પણ હોઈ શકે છે, જે ચેપનું કારણ બની પણ શકે છે.

Leave a Reply

Related Post