Ahmedabad Plane Crash: શું વિમાન દુર્ઘટનાની આગાઉથી જ થઈ હતી ભવિષ્યવાણી? જાણો

Ahmedabad Plane Crash: શું વિમાન દુર્ઘટનાની આગાઉથી જ થઈ હતી ભવિષ્યવાણી? જાણો
Email :

ગુજરાતના અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, જે રીતે વિમાન બળીને રાખ થઈ ગયું છે તેનાથી મૃત્યુઆંક ખૂબ વધારે હોવાની આશંકા છે. આ વચ્ચે એસ્ટ્રો શર્મિષ્ઠાએ 2024માં અનેક આગહી કરી હતી જે હવે કોઈક અંશે સાચી પડતા પોસ્ટ સામે આવી છે. તેમણે 2024માં ભવિષ્યવાણી કરી હતી કે, વિશ્વભરમાં ઉડ્ડયનમાં તેજી આવશે જેનાથી મોટા અને ભયાનક અકસ્માતોની સંભાવનાઓ વધશે.

2024માં વિમાન દુર્ઘટના સહિત આ ભવિષ્યવાણી થઈ

આધ્યાત્મિકતાનો પૂર, જિસકો દેખો બાબા બનેંગે, ધાર્મિક ગુંડાગીરી.

વિશ્વભરમાં ઉડ્ડયનમાં તેજી, મોટા અકસ્માતો પણ હેડલાઈન બનશે

સ્વતંત્રતા માટે લડાઈ, મંદિરો, ધાર્મિક સ્થળો વગેરેની સ્વતંત્રતા.

ભવિષ્યવાણી સાચી પડતા કરી આ પોસ્ટ

ત્યારે હવે એસ્ટ્રો શર્મિષ્ઠાએ અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે, ટાટા હૈદરાબાદમાં રાફેલ ફ્યુઝલેજ બનાવશે. આ ફક્ત ઉડ્ડયન વિસ્તરણ છે, ઇસરો આગામી બે વર્ષમાં અવકાશ અને ઉપગ્રહ એન્જિનિયરિંગ, અવકાશ પ્રવાસનમાં વિશ્વને આશ્ચર્યચકિત કરશે. ગયા વર્ષે નક્ષત્ર પરિવહન દ્વારા આ આગાહી કરવામાં આવી હતી. હું હજુ પણ 2025માં વિમાન દુર્ઘટના અને ઉડ્ડયનમાં વિનાશની આગાહીને મજબૂત રીતે પકડી રાખું છું.

વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદના મેઘનગર આઈજીપી કોમ્પ્લેક્સમાં વિમાન ક્રેશ થયું હતું. અકસ્માત સમયે વિમાનમાં 12 કેબિન ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. વિમાનનું પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલ હતા તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર પણ હતા. કેપ્ટન સુમિત સભરવાલ એલટીસી છે અને તેમને 8,200 કલાકનો ઉડાનનો અનુભવ છે જ્યારે કો-પાયલટને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ છે. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.

પીએમ મોદીએ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી અને કહ્યું હતું કે અમે તેનાથી આઘાત અને દુઃખી છીએ. અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે આઘાત અને દુઃખી છીએ. તે હૃદયદ્રાવક છે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. હું પ્રભાવિત લોકોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.

Leave a Reply

Related Post