મુસાફરોને અસુવિધા: AI એક્સપ્રેસ 1 જુલાઈથી ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ કરી 4 ફ્લાઇટ રિશિડ્યુલ કરશે

મુસાફરોને અસુવિધા:AI એક્સપ્રેસ 1 જુલાઈથી ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ કરી 4 ફ્લાઇટ રિશિડ્યુલ કરશે
Email :

સુરત એરપોર્ટથી મુસાફરી કરતા મુસાફરોને 1 જુલાઈથી મોટી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIX) એ સુરતથી ચાલતી ઘણી મોટી ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ચેન્નાઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જે 1 જુલાઈથી બંધ કરવામાં આવશે. જોકે, આ ફ્લાઇટ્સ અચાનક રદ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? આ અંગે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું

નથી અને 1 જુલાઈથી આ ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ રોટેશનને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એઆઇ એક્સપ્રેસના આ નિર્ણય બાદ હવે સુરતથી ફક્ત 11 સ્થાનિક આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ બાકી રહેશે. હાલમાં અહીંથી રોજ 15 ફ્લાઇટ્સ સંચાલિત થઈ રહી છે. આ નિર્ણય મુસાફરોની સુવિધા અને એરલાઇન કામગીરીની વ્યૂહાત્મક જરૂરિયાતો અનુસાર

લેવાયો છે, પરંતુ મુસાફરોએ જુલાઈ પહેલાં તેમના સમયપત્રકની તપાસ કરવી પડશે. આ ફ્લાઇટ્સ 1 જુલાઈથી રદ સુરત-ચેન્નઈ: રાત્રે 9:15 વાગ્યે સુરત-હૈદરાબાદ: રાત્રે 10:30 વાગ્યે સુરત-ગોવા: સવારે 7:50 વાગ્યે કારણ: એરક્રાફ્ટ રોટેશન મુખ્ય કારણ છે. જેનો અર્થ એ છે કે એક જ એરક્રાફ્ટને અલગ-અલગ રૂટ પર ચલાવવું, જેથી ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવી શકાય. જ્યારે કોઈ સેક્ટરની માંગ ઓછી હોય કે ટેકનિકલ/એરપોર્ટ સંબંધિત સમસ્યા હોય ત્યારે એરલાઇન્સ રૂટ બદલે છે. જેથી ફ્લાઇટ્સ

અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી રહી છે. જો કે, એરલાઇને સ્પષ્ટતા કરી નથી. આ ફ્લાઇટ કરાશે રિશિડ્યુલ સુરત-બેંગલુરુ: 1લીથી દરરોજ કાર્યરત થશે. સુરત-દિલ્હી: રાત્રે 11:25 વાગ્યે, ફક્ત મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે. સુરત-દિલ્હી: સવારે 6:10 વાગ્યે અને બપોરે 2:10 વાગ્યે, 2 જુલાઈથી બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે કાર્યરત થશે. સુરત-દિલ્હી: બપોરે 1 વાગ્યે, 1 જુલાઈથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત થશે. કારણ: દિલ્હી એરપોર્ટ પર રનવે બંધ છે, જેના કારણે

ઘણી ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બેંગલુરુ-સુરત-દિલ્હીની ફ્લાઇટ 15 જૂનથી સંપૂર્ણપણે રદ કરાશે એર ઇન્ડિયા એક્સપ્રેસની રાત્રિ ફ્લાઇટ્સ પણ 15 જૂનથી 90 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરાશે, જેમાં સુરતથી દિલ્હી સાંજે 5:30 વાગ્યે જતી અને દિલ્હીથી સુરત રાત્રે 10:50 વાગ્યે પરત થતી ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ બેંગલુરુથી સુરત પહોંચતી હતી અને પછી દિલ્હી જતી હતી. આ નિર્ણયથી 24X7ની કામગીરીને અસર થશે સુરત એરપોર્ટ 24x7 કાર્યરત

છે. 90 દિવસ ટ્રાયલ ચાલી રહી છે. એટલે કે જો 90 દિવસમાં રાત્રે 11થી સવારે 6 વચ્ચે કોઈ સ્થાનિક ફ્લાઇટ શરૂ ન થાય તો તે 24x7 કામગીરીને અસર કરશે. જેથી ગોવા, હૈદરાબાદ, ચેન્નાઈ ફ્લાઇટ્સ રદ કરવાને બદલે એરલાઇન આ વિમાનોને રાત્રે 11થી સવારે 6 વચ્ચેના સ્લોટમાં ખસેડી શકી હોત. આનાથી નિષ્ણાતો માને છે કે એરલાઇન સ્પષ્ટ કારણ આપ્યા વિના ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય એરપોર્ટના હિતમાં નથી.

Leave a Reply

Related Post