ઇઝરાયલમાં મિસાઇલ હુમલાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ: 300 મુસાફરો સાથે અબુ ધાબીમાં લેન્ડિંગ; 6 મે સુધી તેલ અવીવની ફ્લાઇટ્સ રદ, નેતન્યાહૂની ઈમરજન્સી બેઠક

ઇઝરાયલમાં મિસાઇલ હુમલાથી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ:300 મુસાફરો સાથે અબુ ધાબીમાં લેન્ડિંગ; 6 મે સુધી તેલ અવીવની ફ્લાઇટ્સ રદ, નેતન્યાહૂની ઈમરજન્સી બેઠક
Email :

ઇઝરાયેલના સૌથી વ્યસ્ત એરપોર્ટ બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે યમનના ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો. આ હુમલાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139ને અબુ ધાબી ડાયવર્ટ કરવી પડી. હુમલા સમયે વિમાનની લેન્ડિંગમાં માત્ર એક કલાક બાકી હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 મુજબ, વિમાન તે સમયે જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં હતું. રિપોર્ટ્સ મુજબ વિમાનમાં લગભગ 300 લોકો સવાર હતા. એર ઇન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ફ્લાઇટે અબુ ધાબીમાં સુરક્ષિત લેન્ડિંગ કરી છે અને તેને જલ્દીથી દિલ્હી

પરત લાવવામાં આવશે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જે મુસાફરોએ 3થી 6 મે 2025 વચ્ચેની ફ્લાઇટ્સ માટે ટિકિટ બુક કરી છે, તેમને તેમની ટિકિટ એક વખત બદલવાની સુવિધા અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવશે. મિસાઇલ હુમલામાં 8 ઘાયલ, 1 ગંભીર મિસાઇલે એરપોર્ટ પરિસરમાં એક રસ્તા અને એક વાહનને નુકસાન પહોંચાડ્યું. ઇઝરાયલી સેનાએ સ્વીકાર્યું છે કે તેમની ડિફેન્સ સિસ્ટમ આ મિસાઇલને રોકવામાં નિષ્ફળ રહી. આની તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે. હૂથી બળવાખોરોએ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો કે

આ હુમલો ગાઝા પર ઇઝરાયેલના લશ્કરી અભિયાનો અને માર્ચ 2022થી ચાલી રહેલા નાકાબંધીના વિરોધમાં કરવામાં આવ્યો છે. હૂથી પ્રવક્તા યાહ્યા સારીએ કહ્યું કે હુમલામાં 'ફિલિસ્તીન-2 હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ'નો ઉપયોગ થયો. તેણે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમને ભેદી નાખી. જોકે, ઇઝરાયેલી સેનાએ હાઇપરસોનિક મિસાઇલના દાવાને નકારી કાઢ્યો છે. ઇઝરાયલી PMએ ઇમરજન્સી બેઠક બોલાવી મિસાઇલ હુમલા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખાસ બેઠક પણ બોલાવી છે. આ મીટિંગમાં નેતન્યાહુ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના અધિકારીઓ સાથે આ વાત અંગે ચર્ચા કરશે કે હૂથી બળવાખોરો સામે શું પગલાં લેવા જોઈએ.

Leave a Reply

Related Post