એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમર્જન્સી લેન્ડિંગ: બોમ્બ હોવાની માહિતી, ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું; વિમાનમાં 156 લોકો સવાર હતા

એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમર્જન્સી લેન્ડિંગ:બોમ્બ હોવાની માહિતી, ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું; વિમાનમાં 156 લોકો સવાર હતા
Email :

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-379 એ થાઇલેન્ડના ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. વિમાનમાં 156 લોકો સવાર હતા. ફ્લાઇટ ફુકેટથી દિલ્હી આવી રહી હતી. ન્યૂઝ એજન્સી રોઇટર્સે ફ્લાઇટ ટ્રેકર 'ફ્લાયટ્રેડર24' ને ટાંકીને જણાવ્યું છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટે ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે (સ્થાનિક સમય મુજબ બપોરે 2.30 વાગ્યે) ફુકેટ એરપોર્ટથી ઉડાન ભરી હતી. વિમાને આંદામાન સમુદ્ર પર મોટો ચક્કર લગાવ્યા પછી​​​​​​ ફુકેટમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. નેશન થાઇલેન્ડે અહેવાલ આપ્યો છે

કે બોમ્બ ધમકી મળતાની સાથે જ ફુકેટ એરપોર્ટે એરપોર્ટ કન્ટીજન્સી પ્લાન (ACP) એક્ટિવ કરી દીધો હતો. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ધમકી અંગે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. વધુ માહિતી મળતાં જ અપડેટ આપવામાં આવશે. આ પ્લેનનો રૂટ હતો... ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી, 265 મૃતદેહો મળ્યા હતા એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 265 લોકોના મૃતદેહ મળ્યા હતા. એમાં 241 મૃતકોમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો સામેલ છે. 5 મૃતક મેડિકલ હોસ્ટેલના પણ

છે, જ્યાં વિમાન ક્રેશ થયું હતું. 12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત મુસાફરો સવાર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે, બાકીના 12 ક્રૂ મેમ્બર હતા.

Leave a Reply

Related Post