170 પેસેન્જરના જીવ તાળવે: મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયું, લેન્ડિંગ ફેલ જતાં AIની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ ઈન્દોર ડાઈવર્ટ કરાઈ

170 પેસેન્જરના જીવ તાળવે:મર્યાદાથી વધારે સ્પીડે વિમાન લેન્ડ થયું, લેન્ડિંગ ફેલ જતાં AIની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ ઈન્દોર ડાઈવર્ટ કરાઈ
Email :

એર ઈન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ જતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર 170 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાઈલોટની ભૂલ બદલ ડીજીસીએ હવે તપાસનો આદેશ આપશે. અમુક ચોક્કસ ઊંચાઈથી ફ્લાઈટમાં મર્યાદિત સ્પીડ કરતાં વધુ હોવાથી રન-વે પર લેન્ડિંગ વખતે પાઈલટ નિયંત્રણ ગુમાવી બેસે છે. આવા સંજોગોમાં અકસ્માતને ટાળવા

પાઈલોટ રન-વે પર ટચ ડાઉન પહેલા જ ફ્લાઇટને ગો અરાઉન્ડ કરવું પડે છે. નહિતર વિમાનની વધુ સ્પીડથી રન-વે પરથી ઉતરી જાય છે. એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ (AI 835) તેના નિર્ધારીત સમયે આવી હતી. પાઈલોટ ફાઈનલ એપ્રોચ કરી અચાનક લેન્ડિંગ ફેલ થઈ જતા વિમાન રનવે પર ટચ ડાઉન કરે તે પહેલા જ આકાશમાં લઈ લીધું હતું જો કે આ સમયે અન્ય વિમાનો પણ

સરળતાથી લેન્ડ થતા હતા એટલે કે ક્રોસ વિંડ પણ ન હતું તો પાઈલોટથી આ ભૂલ કેવી રીતે થઈ તેને લઈને એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ બે કલાક મોડી ઉપડી ફ્લાઈટને ઇન્દોર ડાઈવર્ટ કરાયા બાદ રાત્રે 9 વાગે પરત અમદાવાદ આવી હતી. શનિવારે અમદાવાદથી દિલ્હી જતાં 180 પેસેન્જરો એરપોર્ટ પર રાહ જોતા હતા અને સાંજે 6:40ની ફ્લાઈટ રાત્રે 10 પછી ટેકઓફ થઈ હતી.

Related Post