અક્ષય કુમારે પરેશ રાવલને ભોળવી લીધા!: 'હેરાફેરી 3' વિવાદ પર 'બાબુરાવ'નો ખુલાસો, 'મેકર્સે મારી સાથે કોઈ કરાર કર્યો નથી'

અક્ષય કુમારે પરેશ રાવલને ભોળવી લીધા!:'હેરાફેરી 3' વિવાદ પર 'બાબુરાવ'નો ખુલાસો, 'મેકર્સે મારી સાથે કોઈ કરાર કર્યો નથી'
Email :

'હેરાફેરી 3'માંથી 'બાબુરાવ' પરેશ રાવલની એક્ઝિટ બાદ વિવાદ વકર્યો છે. ત્યારે ફિલ્મના વિવાદ અંગે પરેશ રાવલના વકીલ આનંદ અને નાઇકે પહેલીવાર મૌન તોડ્યું છે. એક્ટરના ફિલ્મ છોડવાના કારણે તેમના પર લાગેલા આરોપો પર વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો અને કહ્યું કે 'તેમનો ફિલ્મ છોડવાનો નિર્ણય સાચો અને કાયદા મુજબ જ હતો.' પરેશ રાવલના વકીલ આનંદ અને નાઇકે આઈએએનએસ (ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ, ન્યૂઝ એજન્સી)ને જણાવ્યું હતું કે, ' એક્ટરને ન તો ફિલ્મની વાર્તા આપી કે ન તો સ્ક્રીન પ્લે, પ્રોજેક્ટમાં

જોડાવા માટેનો જરૂરી એગ્રિમેન્ટ ડ્રાફ્ટ પણ આપ્યો નથી. આ ઉપરાંત મૂળ ફિલ્મના પ્રોડ્યૂસર નડિયાદવાલાએ તેમના ક્લાયન્ટ (પરેશ રાવલ)ને નોટિસ મોકલી અને ફિલ્મ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો, તેથી તેમના ક્લાયન્ટે પ્રોજેક્ટ છોડી દીધો અને વ્યાજ સાથે પૈસા પરત કરી દીધા. તેમણે 'ટર્મ શીટ' (પ્રારંભિક કરાર) પણ નાબૂદ કરી દીધો છે. વ્યાજ સાથે 11 લાખ રૂપિયા પરત કર્યા પરેશ રાવલના વકીલોએ કહ્યું કે, 'પરેશ રાવલ પર હવે ફિલ્મની કોઈ જવાબદારી નથી અને તેમણે લીધેલા પૈસા, 11 લાખ રૂપિયા, વ્યાજ સહિત પાછા

આપી દીધા છે.' જ્યારે અક્ષય કુમારની ટીમે કહ્યું કે, 'પરેશ રાવલના જવાથી ફિલ્મની ટીમ, શૂટિંગ અને ખર્ચને નુકસાન થયું છે.' પરંતુ પરેશના વકીલોનો જવાબ હતો કે, 'પહેલા પરેશને પૈસા આપવામાં આવ્યા હતા, પછી નોટિસ મોકલવામાં આવી હતી, જ્યારે ફિલ્મની વાર્તા અને નામ પણ નક્કી કરવામાં આવ્યું ન હતું. તેથી, નુકસાનની વાત સાચી નથી.' ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, પરેશ રાવલે માર્ચ મહિનામાં ફિલ્મની ટર્મ શીટ (પ્રારંભિક કરાર) પર હસ્તાક્ષર કર્યા હતા. તેણે આ સાઇનિંગ તેમની બીજી ફિલ્મ 'ભૂત બંગલા'ના શૂટિંગ

દરમિયાન કર્યું હતું અને તે પણ કોઈપણ કાનૂની સલાહ વિના. તે સમયે પરેશ રાવલે ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે તેમને કોઈ દસ્તાવેજ મળ્યા ન હતા અને તેમને સ્ક્રિપ્ટ કે વાર્તા વિશે કોઈ જાણકારી નહોતી. અક્ષયે તેને કહ્યું હતું, 'ચિંતા ના કર, મારા પર વિશ્વાસ કર. તને બાદમાં આ લોન્ગ ફોર્મ એગ્રિમેન્ટમાં મળી જશે.' અક્ષય કુમાર સાથે સારી મિત્રતા અને વિશ્વાસને કારણે, પરેશ રાવલે ટર્મશીટ પર સહી કરી. એક સૂત્રએ જણાવ્યું કે, 'એપ્રિલમાં રાવલને 'હેરા ફેરી 3' માટે એક

પ્રમોશનલ વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે અક્ષયને ફિલ્મની સ્ક્રિપ્ટ અને કોન્ટ્રાક્ટ વિશે પૂછપરછ કરી. પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, આ વીડિયો આઈપીએલ ફાઇનલ પહેલા બનાવવો પડશે અને અન્ય બાબતો પછીથી નક્કી કરવામાં આવશે.' રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, 'પરેશ રાવલે ટર્મશીટ વાંચ્યા વિના સહી કરી હતી. તેમાં લખ્યું હતું કે, ફિલ્મ રિલીઝ થયા પછી જ તેમને કુલ ફીના 99% મળશે. સામાન્ય રીતે, ફિલ્મોના કલાકારોને શૂટિંગના વિવિધ ભાગોમાં જેમ કે, નિર્માણ પહેલાં, નિર્માણ દરમિયાન અને ફિલ્મ રિલીઝ થયા

પછી તેમની ફી મળે છે. પરંતુ આ ટર્મશીટમાં, રાવલને સાઇન કરતી વખતે ખૂબ જ ઓછા પૈસા મળવાના હતા અને બાકીનો મોટો ભાગ ફિલ્મ રિલીઝ થયા પછી જ આપવાનો હતો. આ પરિસ્થિતિઓને કારણે પરેશે પણ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો.' નોંધનીય છે કે, પરેશ રાવલે પણ 'હેરા ફેરી 3' છોડવા બદલ મળેલી કાનૂની નોટિસ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે કહ્યું કે, 'તેમના વકીલ અમિત નાઈકે કાનૂની જવાબ મોકલી દીધો છે.' પરેશે કહ્યું કે, 'જવાબ વાંચ્યા પછી મામલો શાંત થઈ જશે.'

Leave a Reply

Related Post