સમૂહલગ્નમાં 555 નવવધૂને બગસરાનો માલ પકડાવી દીધો: સુરેન્દ્રનગરના પરિવારે જ્વેલર્સ પાસે દાગીના ચેક કરાવતા પોલ પકડાઈ, આયોજકે ઘટનાને ‘સમજણફેર’ ગણાવી

સમૂહલગ્નમાં 555 નવવધૂને બગસરાનો માલ પકડાવી દીધો:સુરેન્દ્રનગરના પરિવારે જ્વેલર્સ પાસે દાગીના ચેક કરાવતા પોલ પકડાઈ, આયોજકે ઘટનાને ‘સમજણફેર’ ગણાવી
Email :

રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે, આ દાગીના અસલી નહીં, પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જોકે, મુખ્ય આયોજક અને શિવાજી સેનાનાં પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહલગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે. સુરેન્દ્રનગરના પરિવારે જ્વેલર્સ પાસે

દાગીના ચેક કરાવ્યાં આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે, લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. માત્ર એક ચૂક જ સોનાની અપાઈ હતીઃ વિક્રમ સોરાણી આ અંગે સર્વજ્ઞાતિ

સમુહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા નહીં પરંતુ દાતાઓ દ્વારા દીકરીઓને દાગીના સહિત અન્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, જો કોઈને ભૂલથી ખોટી વસ્તુ આવી ગઈ હશે તો તેઓ તેને બદલી આપવા તૈયાર છે. વિક્રમ સોરાણીએ આ અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સમૂહલગ્નમાં સોનાની માત્ર એક ‘ચૂક’ (નાની બુટ્ટી) જ આપવામાં આવી હતી અને અન્ય કોઈ વસ્તુ સોનાની નહોતી. લગ્નમાં જે લોકો આશીર્વાદ આપવા માટે આવતા હોય છે, તેઓ વર અને કન્યાને પોતાની રીતે ભેટ-સોગાદો આપતા

હોય છે. આ સંજોગોમાં જો કોઈને નકલી દાગીના મળ્યો હોય તો તે દાતા દ્વારા આપવામાં આવ્યો હોઈ શકે છે. તેમ છતાં, તેમણે ખાતરી આપી કે જો કોઈ પીડિત પરિવાર તેમની સાથે સંપર્ક કરશે તો તેઓ સોનાની ‘ચૂંક’ બદલી આપવા માટે તૈયાર છે. પીડિત પરિવારો આયોજકોના ખુલાસાથી અસંતુષ્ટ વિક્રમ સોરાણીએ આ ઘટનાને ‘સમજણફેર’ ગણાવી અને કહ્યું કે, આ પ્રકારની ઘટના બનવી દુઃખદ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ સમૂહલગ્નની જવાબદારી સ્વીકારે છે અને જો કોઈને અન્યાય થયો હશે તો તેઓ તેને દૂર કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશે. આ છતાં, પીડિત પરિવારો

આયોજકોના આ ખુલાસાથી સંતુષ્ટ નથી. તેમનું માનવું છે કે, આટલા મોટા પાયે આયોજિત સમૂહલગ્નમાં આપવામાં આવતી તમામ ભેટ-સોગાદોની ગુણવત્તાની ચકાસણી કરવી આયોજકોની જવાબદારી હતી. નકલી દાગીના પકડાઈ જવાના કારણે અનેક પરિવારોને માનસિક અને સામાજિક રીતે ભારે આઘાત લાગ્યો છે. તેઓ આ ઘટનાને આયોજકોની બેદરકારી અને છેતરપિંડી ગણાવી રહ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ રાજકોટના સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. એક તરફ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવાના ઉમદા હેતુથી આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ નકલી દાગીનાના પ્રકરણથી સમગ્ર આયોજનની વિશ્વસનીયતા પર સવાલ

ઊભા થયા છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આટલા મોટા પાયે દાન એકત્રિત કર્યા પછી પણ શા માટે નકલી દાગીના આપવામાં આવ્યા? શું દાતાઓએ ખરેખર નકલી દાગીના આપ્યા હતા કે પછી આયોજનમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હતી? હાલમાં તો પોલીસ દ્વારા પીડિત પરિવારની ફરિયાદના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ આયોજકો અને દાતાઓ સાથે વાતચીત કરીને સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, સમૂહલગ્નમાં ભાગ લેનારા અન્ય પરિવારો પણ હવે તેમને મળેલા દાગીનાની ચકાસણી કરાવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ ફરિયાદો સામે આવી શકે છે.

Leave a Reply

Related Post