હિટ એન્ડ રનમાં બે લોકોએ જીવ ગુમાવ્યા: અજાણ્યા વાહનચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત, રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત

હિટ એન્ડ રનમાં બે લોકોએ જીવ ગુમાવ્યા:અજાણ્યા વાહનચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત, રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત
Email :

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઇ-વે 48 પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમારનું અજાણ્યા વાહને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું તો બીજી તરફ શહેરના ભાયલી

વાસણા રોડ પર પંચમુખી હાઉસિંગ ફ્લેટમાં રહેતા 42 વર્ષના ચંદ્રેશ ભરત જાદવ વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પરથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોલ્ડન બ્રિજ પાસે અકસ્માત હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગોલ્ડન બ્રિજ પાસે ગત(30 એપ્રિલ) મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી

છે. આ ઘટનામાં અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમાર (ઉ.વ. 39, રહે. લાલજીપુરા, સોખડા, તા.જી. વડોદરા)ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મનોજને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર 108 આવી હતી. જો કે ગંભીર ઇજાઓને લઇ તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક અમદાવાદ તરફ જતા અડફેટે લઈ ભાગી ગયો આ અંગે હરણી

પોલીસ મથકમાં મૃતકના કાકા નટવરસિંહ પરસોત્તમદાસ પરમાર (ઉ.વ. 50, રહે. ત્રિમૂર્તિ હાઉસિંગ સોસાયટી, ન્યૂ સમા રોડ, વડોદરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનો ભત્રીજો બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ચાલકે સુરતથી અમદાવાદ તરફ જતા અડફેટે લઈ ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનોજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક લગ્નપ્રસંગમાંથી આવતો હતો આ અંગે મૃતકના કાકા નટવરસિંહ પરમારે જણાવ્યું

હતું કે, તે રાત્રે લગ્ન પ્રસંગથી આવતો હતો. તેની સાથે કોઈ હતું કે કેમ તે સમજાતું નથી. તે મંજુસર GIDCમાં નોકરી કરતો હતો. અજાણ્યા વાહનની ટક્કરે તેનું મોત નિપજ્યું છે. એના પિતા રિટાયર્ડ છે અને તેઓ અગાઉ GSFCમાં નોકરી કરતા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હાલમાં આ મામલે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં

મૃતકના મૃતદેહનો પોલીસે કબ્જો લઈ શહેરની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલમાં હાઇવે પર અકસ્માતમાં 11ના મોત ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઈવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. એપ્રિલ માસમાં આ હાઈવે પર સતત અકસ્માતો સામે આવ્યા છે જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ અકસ્માતનો હાઈવે હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Related Post