અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો: મેમનગર વિસ્તારમાં કારચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા, ચાર લોકો ઈજાગ્રસ્ત; ચાલક નશામાં હોવાનો આક્ષેપ

અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો:મેમનગર વિસ્તારમાં કારચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા, ચાર લોકો ઈજાગ્રસ્ત; ચાલક નશામાં હોવાનો આક્ષેપ
Email :

અમદાવાદ શહેરમાં રફતારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના મેમનગર વિસ્તારમાં એક યુવકે પોતાની કાર બેફામ સ્પીડે હંકારી 6 થી 7 વાહનોને ટક્કર મારતા ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ

ધરી છે. વહેલી સવારે અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 7.45 વાગ્યાની આસપાસ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી આગળના તરફ જવાના રોડ ઉપર એક કારચાલક બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી અને આવ્યો હતો બે થી વધુ એક્ટિવા બાઈક અને ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. બે વૃદ્ધ અને બાળકો સહિત કુલ ચાર લોકોને પણ અડફેટે લીધાં હતાં જેના

કારણે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી. વહેલી સવારે ચાલવા જતા અને બાળકોને સ્કૂલે જનારા લોકોનાં ટોળા ભેગાં થઈ ગયાં હતાં. 100 મીટરના રોડ ઉપર વાહનોને અને રાહદારીઓને અડફેટે લઈને અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો. કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી લીધો હતો. અનેક લોકોના આક્ષેપ મુજબ કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. રોડ ઉપર બેથી

ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે લોકો તેમની પાસે દોડી ગયા હતા. 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારચાલકનાં પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ગંભીર અકસ્માતને પગલે લોકોમાં પણ ભારે રોષ ફેલાયો

હતો. કારચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારચાલકને પકડ્યો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સરદાર કારચાલકનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ

આરોપી ચિંતન પરીખ એના ભત્રીજાને સંત સાબીર સ્કૂલ ખાતે મૂકીને આવતો હતો ત્યારે ઘટનાસ્થળ પાસે બમ્પર આવતા બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયો હોવાનું ચિંતન કાર ચાલક કહ્યું હતું. આરોપીના માતા હમણાં જ એક અઠવાડિયા પહેલા ગુજરી ગયા છે અને એમની ચાણોદમાં વિધિ કરાવી છે જેનો તેને આઘાત પણ લાગેલો છે. તેઓ કોઈ કામ કરતા નથી ઘરે જ રહે છે.

Related Post