દેવીસ્વરૂપ બાળાઓ હવે દુષ્કર્મી દાનવોથી બચવા સજ્જ: ક્રાઇમ કેપિટલ સુરતમાં આત્મરક્ષા માટે દીકરીઓએ ‘હથિયાર’ ઉપાડ્યા, હિન્દુ યુવા સેના તલવાર, દંડપટ્ટાની ટ્રેનિંગ આપે છે

દેવીસ્વરૂપ બાળાઓ હવે દુષ્કર્મી દાનવોથી બચવા સજ્જ:ક્રાઇમ કેપિટલ સુરતમાં આત્મરક્ષા માટે દીકરીઓએ ‘હથિયાર’ ઉપાડ્યા, હિન્દુ યુવા સેના તલવાર, દંડપટ્ટાની ટ્રેનિંગ આપે છે
Email :

દેવીસ્વરૂપ બાળાઓ હવે દુષ્કર્મી દાનવોથી બચવા સજ્જ થઈ રહી છે. ક્રાઇમ કેપિટલ સુરતમાં આત્મરક્ષા માટે દીકરીઓએ હવે ‘હથિયાર’ ઉપાડ્યા છે. શહેરના 3 વિસ્તારમાં હિન્દુ યુવા સેના દીકરીઓને તલવાર, દંડપટ્ટાની ટ્રેનિંગ આપે છે. જેમાં શૂરવીર બાળાઓ પણ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. દર રવિવારે યોજાઈ છે ખાસ તાલીમ શિબિર લવ જેહાદ, છેડતી, દુષ્કર્મ જેવી કલંકિત ઘટનાઓ સામે હવે સુરતની દીકરીઓ હાથમાં શસ્ત્ર લઈને

તૈયાર છે. શહેરના ત્રણ વિસ્તારોમાં દર રવિવારે ચાલતી આ ખાસ તાલીમ શિબિરોમાં હાલ 5થી 23 વર્ષની વયની લગભગ 250થી વધુ દીકરીઓ જુસ્સાથી ભાગ લઈ રહી છે. દીકરીઓને આત્મરક્ષા માટે સજ્જ કરાઈ રહી છે સુરત શહેરમાં દીકરીઓ પોતાને સુરક્ષિત રાખવા માટે હવે બાજીરાવ મસ્તાની ફિલ્મમાં જોવા મળતી શૈલીમાં સ્વરક્ષા માટે તાલીમ લઈ રહી છે. દંડપટ્ટા, તલવાર, લાઠી, કાઠી જેવી પરંપરાગત શસ્ત્રકલાઓમાં દીકરીઓને

નિપુણ બનાવવા માટે હિન્દુ યુવા સેના દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: ગુજરાતના ક્રાઇમ કેપિટલની ‘સૂરત’, દર મહિને 24 બાળકી સાથે દુષ્કર્મ-છેડતી, રાજ્યમાં 2022-23માં રોજ એવરેજ 6 રેપ કેસ હિન્દુ યુવા સેનાની પહેલ હિન્દુ યુવા સેના દ્વારા શરૂ કરાયેલા આ કાર્યક્રમ હેઠળ હાલમાં શહેરના ત્રણ સ્થળોએ દર રવિવારે 5થી 23 વર્ષની વય જૂથની લગભગ 250 જેટલી દીકરીઓને નિઃશુલ્ક

સ્વરક્ષા તાલીમ આપવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરના સ્લમ વિસ્તારમાં અને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતી દીકરીઓ આ પ્રશિક્ષણમાંથી નવો વિશ્વાસ મેળવી રહી છે. શસ્ત્રોની સાથે ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન અહીં માત્ર લાઠી, તલવાર અને દંડપટ્ટા જેવી શસ્ત્રકલાઓ જ નહીં, પણ તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ ધર્મમુલ્યોમાં ઊંડા ઉતરે એ દિશામાં પણ પ્રયત્ન થાય છે. તાલીમ અંતર્ગત ભગવદ ગીતા અને ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન પણ

અપાય છે, જેથી શારીરિક સશક્તિ સાથે આંતરિક શિસ્ત અને મૂલ્યો પણ વિકસે. શહેરના ત્રણ સ્થળોએ કાર્યશાળા હિન્દુ યુવા સેનાના કાર્યકર્તા વૈભવ સોનવણેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની અનેક દુષ્કર્મની ઘટનાઓમાં ખાસ કરીને સગીર દીકરીઓ શિકાર બની છે. લવ જેહાદ અને છેડતીના બનાવોને કારણે વાલીઓમાં ભય જોવા મળે છે. તેથી અમે શહેરના ત્રણ સ્થળોએ આવી કાર્યશાળાઓ શરૂ કરી છે. ‘યુવક અમારો પીછો કરતો

હતો એ સમયે અમે ગભરાયા નહી’ અહીં આવી રહેલી પાટીલ ચૈતાલી કહે છે, આ તાલીમ લીધા બાદ હું અંદરથી બહુ બદલાઈ ગઈ છું. એક વખત હું અને મારી બે બહેનો બહાર જઈ રહ્યાં હતાં ત્યારે એક અજાણ્યો યુવક અમારો પીછો કરતો હતો. એ સમયે અમે ગભરાયા નહી કારણ કે તાલીમના કારણે અમારા અંદર એટલો આત્મવિશ્વાસ હતો કે અમે તેનો મુકાબલો કરી શક્યાં.

Leave a Reply

Related Post