સુદામડામાં 5 જૂને આયુષ્માન આરોગ્ય શિબિર: 11 વિશેષજ્ઞ ડૉક્ટરો કરશે મફત તપાસ, કેન્સરથી લઈને ECG સુધીની સુવિધા

સુદામડામાં 5 જૂને આયુષ્માન આરોગ્ય શિબિર:11 વિશેષજ્ઞ ડૉક્ટરો કરશે મફત તપાસ, કેન્સરથી લઈને ECG સુધીની સુવિધા
Email :

સુરેન્દ્રનગરના સુદામડા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન ભવઃ અભિયાન ફેઝ-3 અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 5 જૂન 2025ના રોજ સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે. સી.યુ.શાહ મેડિકલ કોલેજના 11 વિશેષજ્ઞ તબીબો સેવા આપશે. આમાં ફિઝિશિયન, સ્ત્રીરોગ તજજ્ઞ, બાળરોગ તજજ્ઞ,

જનરલ સર્જન, ENT સ્પેશિયાલિસ્ટ, આંખના રોગના નિષ્ણાત, માનસિક રોગ તજજ્ઞ, ચામડીના રોગના નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેટિસ્ટ અને દંત ચિકિત્સકનો સમાવેશ થાય છે. શિબિરમાં જનરલ OPD, ફેમિલી પ્લાનિંગના ઓપરેશન, માતા-બાળ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, લકવા અને કિડનીના રોગોની તપાસ કરાશે. મહિલાઓ

માટે સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ તેમજ પેપ સ્મિયર ટેસ્ટની સુવિધા રહેશે. દર્દીઓને ECG, લેબોરેટરી પરીક્ષણો અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. સ્થૂળતાથી પીડાતા લોકો માટે BMI તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુદામડા અને આસપાસના ગામોના લોકોને આ શિબિરનો લાભ લેવા આરોગ્ય કેન્દ્રના અધિક્ષકે અપીલ કરી છે.

Leave a Reply

Related Post