સિટી એન્કર: કોઇ દેશની સરહદમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરવાથી યુદ્ધ છેડાય તે માન્યતા બાલાકોટે તોડી હતી

સિટી એન્કર:કોઇ દેશની સરહદમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરવાથી યુદ્ધ છેડાય તે માન્યતા બાલાકોટે તોડી હતી : એર માર્શલ અનિલ ખોસલા
Email :

દુનિયામાં આતંકવાદ વધતો જાય છે. નિર્દોષ લોકો મરી રહ્યા છે, આ ઠીક નથી. પહેલીવાર નિર્દોષ લોકો પર આતંકી હુમલો થયો છે. તેનું કારણ એ છે કે તેઓ દેશને ધર્મ, જાતિ અને રાજ્યોના નામે તોડવા માગે છે. કારણ એ છે કે શ્રીનગર અને તેની આસપાસ વિકાસ થઇ રહ્યો છે, તેના લાભ સ્થાનિકોને મળી રહ્યા છે તેને ધીમા પાડવા અને તેને રિવર્સ કરવા આમ કરી રહ્યા છે’ તેમ સમા નવરચના સ્કૂલમાં છાત્ર સાંસદના કાર્યક્રમમાં આવેલા એર માર્શલ (નિ.) અનિલ ખોસલાએ કહ્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઇક ઓપરેશનની ગુપ્તતા વિશે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, કોઇ

દેશની સરહદમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરવાથી યુદ્ધ છેડાય તે માન્યતા બાલાકોટે તોડી હતી. મિલિટરીમાં નીડ-ટુ-નો બેઝિસનો અર્થ એ છે કે, સલામતીને લગતી બાબતોને બિનસત્તાવાર સૂત્ર સમક્ષ જાહેર ન કરવી. ઉલ્લેખનીય છે કે, તેઓ ઓક્ટોબર 2018થી એપ્રિલ-2019 દરમિયાન એર ઓફિસર કમાન્ડિંગ જમ્મુ-કાશ્મીર એરિયા તરીકે કાર્યરત હતા. વડાપ્રધાન મોદી ભારત શા માટે આત્મનિર્ભરતા પણ ભાર મૂકે છે તે વિશે તેમણે કહ્યું કે, સૈન્ય રાજનીતિમાં એક શબ્દ છે મિનિમમ ડિટરન્સ વેલ્યૂ. આ વેલ્યૂનો મદાર તમારી ક્ષમતા, અભિગમ અને તાકાત પર હોય છે. કોવિડ આવ્યું, રશિયા-યુક્રેન વોર ચાલુ છે. સપ્લાય ચેઇન સૌથી મોટો પ્રશ્ન છે, બહારથી કોઇ

મદદ આવશે નહીં. એ માટે આત્મનિર્ભરતા જરૂરી છે. કાશ્મીરમાં આતંકીને સ્થાનિક મદદ મળ્યાની શક્યતા વધુ દેશના 42મા વાઇસ ચીફ એર સ્ટાફ રહી ચૂકેલા એર માર્શલ અનિલ ખોસલાએ કહ્યું કે, જે બીજા દેશોનું ધ્યાન આ તરફ ભટકાવવા માગે છે, આપણે તેનો પ્રતિભાવ શાંત મને આપ્યો છે. આ વાતને સાંખી નહીં લઇએ, તમારે કિંમત ચૂકવવી જ પડશે. દેશ તરીકે આપણે વિભાજિત નથી, તમામ પાર્ટીની બેઠકમાં આ મુદ્દે સમર્થન મળ્યું છે. આ ઘટનામાં સ્થાનિક મળતિયા છે કે નહીં તેની જાણ નથી, પણ આવો હુમલો કરવો સરળ હોતો નથી. સ્થાનિક મદદ મળી હોય તેની શક્યતા ખૂબ વધુ છે.

Related Post