બલૂચ આર્મીએ PAK સૈનિકોનાં ચીંથરાં ઉડાવ્યાં: 12થી 14 પાક. જવાનનાં મોત; બોલાનમાં પેટ્રોલિંગ કરી રહેલી ગાડીને રિમોટથી ઉડાવી, 24 કલાલમાં સતત બીજો હુમલો

બલૂચ આર્મીએ PAK સૈનિકોનાં ચીંથરાં ઉડાવ્યાં:12થી 14 પાક. જવાનનાં મોત; બોલાનમાં પેટ્રોલિંગ કરી રહેલી ગાડીને રિમોટથી ઉડાવી, 24 કલાલમાં સતત બીજો હુમલો
Email :

પાકિસ્તાન આ દિવસોમાં એક પછી એક હુમલાનો સામનો કરી રહ્યું છે. પહેલા ઓપરેશન સિંદૂર અને હવે બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સૈનિકોનાં ચીંથરાં ઉડાવી દીધાં છે. આ હુમલો બોલાનમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંને ભારે ફટકો આપ્યો છે. આ પછી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો. આવી

સ્થિતિમાં પાકિસ્તાન આ દિવસોમાં બેવડા હુમલાનો સામનો કરી રહ્યું છે. 24 કલાકમાં BLA દ્વારા આ સતત બીજો હુમલો છે. આ હુમલામાં 14 પાકિસ્તાની સેનાના સૈનિકોનાં મોતના સમાચાર છે. આ હુમલાની જવાબદારી BLAએ લીધી છે. આ હુમલા બલૂચિસ્તાન પ્રાંતના બોલાન અને કેચ પ્રદેશોમાં બે અલગ-અલગ વિસ્તારોમાં થયા હતા. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડે પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. રિમોટનો ઉપયોગ કરીને

પાકિસ્તાની સેનાના વાહનને ઉડાવી દેવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી બલૂચિસ્તાનની બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી રહી છે. બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માચકુંડ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના વાહન પર બલૂચ લિબરેશન આર્મી (BLA)એ રિમોટ-કંટ્રોલ્ડ (IED) હુમલો કર્યો છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે સૈનિકો લશ્કરી કાર્યવાહી માટે જઈ રહ્યા હતા. જાણો BLAએ કેવી રીતે હુમલા કર્યા જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો પેટ્રોલિંગ પર હતો

એ દરમિયાન 7 મે, 2025ના રોજ શોરકંદ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. BLAએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો BLAના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને એમાં સવાર તમામ સૈનિકો માર્યા ગયા હતા. ANIના અહેવાલ મુજબ, વાહનમાં મુસાફરી કરી રહેલા સ્પેશિયલ ઓપરેશન કમાન્ડર ઇમરાન અને સુબેદાર ઉમર ફારુકનાં મૃત્યુ થયાં છે. વિસ્ફોટમાં

લશ્કરી વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અન્ય એક ઘટનામાં BLAએ કેચના કુલાગ તિગરાન વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને નિશાન બનાવી હતી. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી અશાંતિ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે તેનાં સુરક્ષા દળોએ દેશના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ ઘટનામાં 10 આતંકવાદીને ઠાર માર્યા હતા, જોકે બલૂચ લિબરેશન આર્મી સતત પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે અને તેને નોંધપાત્ર નુકસાન

પહોંચાડી રહી છે. માર્ચમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મીના જવાનોએ હાઇજેક કરી લીધી હતી, જેમાં 440 મુસાફરો સવાર હતા. આમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. બલૂચિસ્તાનમાં છેલ્લા 2 દાયકાથી અશાંતિ ચાલી રહી છે. સ્થાનિક બલૂચ નેતાઓનો આરોપ છે કે દેશની સંઘીય સરકાર બલૂચિસ્તાનની કીમતી ખનિજ સંપત્તિનું શોષણ કરી રહી છે. તે તેની સાથે બીજા વર્ગના નાગરિક જેવો વ્યવહાર કરી રહી છે.

Leave a Reply

Related Post