'હાઝિર હો! નહિતર કડક કાર્યવાહી કરીશું': સમય રૈના અને વિપુલ ગોયલ સહિત પાંચ કોમેડિયનને સુપ્રીમની નોટિસ, દિવ્યાંગની મજાક ઉડાવવી ભારે પડી

'હાઝિર હો! નહિતર કડક કાર્યવાહી કરીશું':સમય રૈના અને વિપુલ ગોયલ સહિત પાંચ કોમેડિયનને સુપ્રીમની નોટિસ, દિવ્યાંગની મજાક ઉડાવવી ભારે પડી
Email :

સમય રૈનાનું નામ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોથી વિવાદોમાં ઘેરાયેલું છે. એવામાં આ કોમેડિયન વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. સમય રૈના દ્વારા બે મહિનાના વિકલાંગ બાળક પર અસંવેદનશીલ મજાક કરવામાં આવી હતી. આ મામલે મેસર્સ ક્યોર એસએમએ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કડક વલણ દાખવતાં આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એટલું

જ નહીં કોર્ટે સમય રૈના અને વિપુલ ગોયલ સહિત અન્ય પાંચ કોમેડિયન ઇન્ફ્લુએન્સરને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે- આવા લોકોની મજાક ઉડાવનારા ઇન્ફ્લુએન્સરો સમાજ માટે હાનિકારક છે. કોર્ટે કહ્યું છે કે આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. સુનાવણી દરમિયાન, બેન્ચે NGO વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે- આ ખૂબ જ નુકસાનકારક અને નિરાશાજનક બાબત

છે. તમારે કાયદાના દાયરામાં રહીને કેટલાક સુધારાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી વિશે વિચારવું જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈને પણ અપમાનિત કરવાની મંજૂરી આપી શકાય નહીં. સુનાવણી દરમિયાન, બેન્ચે વિકલાંગ લોકો અને દુર્લભ રોગોથી પીડિત લોકો સંબંધિત સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર માર્ગદર્શિકા તૈયાર કરવાની પણ વાત કરી હતી. 'જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે' કોટીશ્વર સિંહની બેન્ચે મુંબઈ પોલીસ કમિશનરને સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ

પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર ઉર્ફે સોનાલી આદિત્ય દેસાઈ અને નિશાંત જગદીશ તંવરને સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. બલરાજ ઘાઈ કોમેડી શૉ ઓર્ગોનાઇઝ કરતા મુંબઇના સ્થળ ‘હેબિટેટ’નો માલિક છે. બેન્ચે એમ પણ કહ્યું કે જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શું છે આખો મામલો? 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શો પહેલેથી જ વિવાદમાં છે, એવામાં એક NGO એ સમય રૈના

પર આરોપ લગાવ્યો કે તેણે 10 મહિના પહેલાં એક શો દરમિયાન તેણે 2 મહિનાના બાળકના કિસ્સામાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) માટે એક મોંઘા (16 કરોડનું ઈન્જેક્શન) સારવાર વિકલ્પની મજાક ઉડાવી હતી. બીજા એક કિસ્સામાં એવો આરોપ છે કે તેણે એક અંધ અને ક્રોસ-આઇડ માણસની મજાક ઉડાવી હતી. આગળ સમય શોમાં બેઠેલી એક મહિલાને પ્રશ્ન પૂછી બાળકની મજાક કરતાં કહે છે કે મેડમ, તમે મને કહો... જો તમે આ

બાળકની માતા હોત અને તમારા બેંક ખાતામાં 16 કરોડ રૂપિયા હોત, તો એકવાર તમે તમારા પતિ તરફ જોઈને કહ્યું જ હોત ને કે- મોંઘવારી વધી રહી છે, કારણ કે એ ઇન્જેક્શન પછી પણ બાળક બચી જશે એની કોઈ ગેરંટી નથી. તે મરી પણ શકે છે. માની લો એ ઈન્જેક્શન પછી મૃત્યુ પામ્યું, પણ એનાથી ખરાબ કલ્પના કરો કે બાળક 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન પછી બચી ગયું, પણ જ્યારે

તે મોટું થયું ત્યારે તેણે કહ્યું કે- તે કવિ બનવા માગે છે. આ રીતે તેણે શોમાં બાળકની મજા કરી હતી. સમય રૈનાથી સુપ્રીમ કોર્ટ નારાજ ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની ડિવિઝન બેન્ચે આજે અરજી પર સુનાવણી કરી અને ફાઉન્ડેશન તરફથી લાગેલા આરોપ પર ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આવા કન્ટેન્ટની નિંદા કરી હતી. અગાઉની સુનવણીમાં જસ્ટિસ કાંતે કહ્યું હતું કે, 'આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ

જોઈને અમને ખરેખર દુઃખ થાય છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ ઘટનાઓને પણ રેકોર્ડ પર લાવો. જો તમારી પાસે ટ્રાન્સક્રિપ્ટ સાથે વીડિયો-ક્લિપિંગ્સ હોય તો એ લાવો. સંબંધિત વ્યક્તિઓને સામેલ કરો અને તમને યોગ્ય લાગે તેવા ઉકેલો પણ સૂચવો... પછી આ કેસ જોઈશું.' ફાઉન્ડેશનની અરજી પર પહેલી સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે આવી સામગ્રીને ખલેલ પહોંચાડનારી ગણાવી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું - અમે આ આરોપોથી ખરેખર પરેશાન છીએ, અમે

આવા કેસ રેકોર્ડ પર રાખીએ છીએ. અમે સંબંધિત વ્યક્તિઓને સામેલ કરીને ઉકેલો સૂચવીશું, પછી જોઈશું. માતા-પિતા અને મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓનો મામલો સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' પરનો વિવાદ શરૂ જ છે. સમયે 8 ફેબ્રુઆરીએ તેની યુટ્યૂબ ચેનલ પર શોનો એક એપિસોડ અપલોડ કર્યો હતો, જેમાં યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ માતા-પિતા અને મહિલાઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી હતી. ન્યુ ગુજરાત અહીં તે બાબતોનો ઉલ્લેખ કરી શકતું નથી.

Leave a Reply

Related Post