પત્રકારે UNમાં બિલાવલનું જૂઠાણું ઝડપી પાડ્યું: ભુટ્ટોએ કહ્યું હતું કે પહેલગામ હુમલાની આડમાં ભારતે મુસ્લિમોની છબિ ખરાબ કરી

પત્રકારે UNમાં બિલાવલનું જૂઠાણું ઝડપી પાડ્યું:ભુટ્ટોએ કહ્યું હતું કે પહેલગામ હુમલાની આડમાં ભારતે મુસ્લિમોની છબિ ખરાબ કરી
Email :

મંગળવારે મોડીરાત્રે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીનું જૂઠાણું એક પત્રકાર દ્વારા સ્થળ પર જ પકડી લેવામાં આવ્યું. બિલાવલે આરોપ લગાવ્યો કે ભારત સરકાર ભારતના મુસ્લિમોને બદનામ કરવા માટે રાજકીય હેતુઓ માટે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉપયોગ કરી રહી છે. આના પર એક પત્રકારે કહ્યું, તમે કહી રહ્યા છો કે તાજેતરના આતંકવાદી હુમલાનો

ઉપયોગ ભારતમાં મુસ્લિમોને બદનામ કરવા માટે થઈ રહ્યો છે, પરંતુ મેં પોતે ભારતીય સેનાની બ્રીફિંગ જોઈ છે અને એમાં ફક્ત મુસ્લિમ અધિકારીઓ જ હાજર હતા. હકીકતમાં ભારતીય બાજુથી બે મહિલા અધિકારી- કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર સંબંધિત પ્રેસ બ્રીફિંગ આપી રહી હતી. બિલાવલે કહ્યું - પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું

કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઇચ્છે છે, પરંતુ એ શરતો સાથે ન થઈ શકે. પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું હતું કે ભારતે કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટના માટે કોઈપણ તપાસ કે પુરાવા વિના પાકિસ્તાનને દોષી ઠેરવ્યું, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘટનાની તપાસમાં મદદ કરવાની ઓફર કરી હતી. બિલાવલ ભુટ્ટોએ આરોપ લગાવ્યો કે ભારતે સરહદ પાર કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે.

તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે અને આ લડાઈમાં તેણે ખૂબ મોટી કિંમત ચૂકવી છે. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બંને દેશો પાસે પરમાણુ શક્તિઓ છે, તેથી પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. ભારતની જેમ પાકિસ્તાને પણ વિદેશમાં પ્રતિનિધિમંડળ મોકલ્યું ભારતની

જેમ પાકિસ્તાને પણ વિદેશમાં પોતાના વિચારો રજૂ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં કુલ 9 સભ્યનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ભૂતપૂર્વ વિદેશમંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ ન્યૂ યોર્ક, વોશિંગ્ટન ડીસી, લંડન અને બ્રસેલ્સની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર ડૉ. મુસદ્દીક મલિક, પૂર્વ માહિતી મંત્રી શેરી રહેમાન, વિદેશ

બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ હિના રબ્બાની ખાર, પૂર્વ સંરક્ષણમંત્રી ખુર્રમ દસ્તગીર ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂતપૂર્વ દરિયાઈ બાબતોના મંત્રી સૈયદ ફૈઝલ અલી સબઝવારી, સેનેટર બુશરા અંજુમ બટ, ભૂતપૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાની અને તેહમીના જંજુઆનો પણ આ પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ખાસ સહાયક સૈયદ તારિક ફાતેમીના નેતૃત્વમાં એક અલગ પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું છે.

Leave a Reply

Related Post