બિલાવલે મોદીને ઇઝરાયલી PMના સસ્તા વર્ઝન કહ્યા: ભારતીય વિદેશ મંત્રાલયનો વળતો પ્રહારઃ હતાશા આતંકી નેતાઓ પર ઠાલવો, તમારે ત્યાં આતંકવાદ નેશનલ પોલિસી

બિલાવલે મોદીને ઇઝરાયલી PMના સસ્તા વર્ઝન કહ્યા:ભારતીય વિદેશ મંત્રાલયનો વળતો પ્રહારઃ હતાશા આતંકી નેતાઓ પર ઠાલવો, તમારે ત્યાં આતંકવાદ નેશનલ પોલિસી
Email :

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ PM મોદીને ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહુના સસ્તા વર્ઝન ગણાવ્યા છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ખાતે એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ભુટ્ટોએ કહ્યું, મોદી પોતાને ઇઝરાયલી PM જેવા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમની નજીક પણ નથી. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે ખરાબ ઉદાહરણોથી પ્રેરિત ન થાય. ભારતે બિલાવલના નિવેદનની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન

નવા નીચલા સ્તરે પહોંચી ગયું છે. ભુટ્ટોએ પાકિસ્તાનમાં આતંકવાદના નેતાઓ પર પોતાની હતાશા ઠાલવવી જોઈએ, જેઓ આતંકવાદને દેશની નીતિનો ભાગ બનાવી રહ્યા છે. જ્યારે શશિ થરૂરના નેતૃત્વ હેઠળની પાર્ટી ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા શિવસેનાના સાંસદ મિલિંદ દેવરાએ એને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું હતું કે એક યુવાન પાકિસ્તાની નેતા અમેરિકામાં એવા લોકોને બચાવી રહ્યા છે, જે તેમની માતાની હત્યા માટે જવાબદાર હોઈ શકે છે. ભુટ્ટોએ કહ્યું- અમે સિંધુ

ખીણ સંસ્કૃતિના વારસદાર છીએ ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાન તેની મહાન સભ્યતા વારસા પર ગર્વ કરે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાએ ટિપ્પણી કરી- "અમે સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર છીએ. મોહેં-જો-દડો મારા મતવિસ્તારથી થોડાક જ અંતરે છે." આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાને મોદી પર નિશાન સાધ્યું હોય. 2022માં સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા તત્કાલીન પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે 'તેઓ RSS, BJP કે PM મોદીથી નથી ડરતા.' પત્રકારે બિલાવલનું

જુઠ્ઠાણું પકડ્યું, કહ્યું- ભારતના બ્રીફિંગમાં મુસ્લિમો સામેલ અગાઉ 3 જૂનના રોજ મોડીરાત્રે સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલયમાં બિલાવલે આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર ભારતીય મુસ્લિમોને બદનામ કરવા માટે રાજકીય હેતુઓ માટે પહેલગામ આતંકવાદી હુમલાનો ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીનું આ જુઠ્ઠાણું એક પત્રકારે તરત જ પકડી લીધું. પત્રકારે કહ્યું, તમે કહી રહ્યા છો કે તાજેતરના આતંકવાદી હુમલાનો ઉપયોગ ભારતમાં મુસ્લિમોને બદનામ કરવા માટે

થઈ રહ્યો છે, પરંતુ મેં પોતે ભારતીય સેનાની બ્રીફિંગ જોઈ છે, અને એમાં ફક્ત મુસ્લિમ અધિકારીઓ જ હાજર હતા. વાસ્તવમાં ભારતીય તરફથી બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર સંબંધિત પ્રેસ બ્રીફિંગ આપી રહ્યાં હતાં. બિલાવલે કહ્યું- પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે બિલાવલ ભુટ્ટો ઝરદારીએ UNમાં કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઇચ્છે છે, પરંતુ તે શરતો સાથે ન થઈ શકે.

પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું હતું કે ભારતે કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટના માટે કોઈપણ તપાસ કે પુરાવા વિના પાકિસ્તાનને દોષી ઠેરવ્યું, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘટનાની તપાસમાં મદદ કરવાની ઓફર કરી હતી. બિલાવલ ભુટ્ટોએ આરોપ લગાવ્યો હતો કે ભારતે સરહદ પાર કરીને નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા છે. તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે અને આ લડાઈમાં તેણે ખૂબ મોટી કિંમત ચૂકવી

છે. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું હતું કે બંને દેશ પાસે પરમાણુ શક્તિ છે, તેથી પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. ભારતની જેમ પાકિસ્તાને પણ વિદેશમાં પ્રતિનિધિમંડળ મોકલ્યું ભારતની જેમ પાકિસ્તાને પણ વિદેશમાં પોતાના વિચારો રજૂ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં કુલ 9 સભ્યનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ ભૂતપૂર્વ વિદેશમંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ

ભુટ્ટો ઝરદારી કરી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ ન્યૂ યોર્ક, વોશિંગ્ટન ડીસી, લંડન અને બ્રસેલ્સની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં જળવાયુ પરિવર્તનમંત્રી ડો. મુસદ્દીક મલિક, પૂર્વ માહિતી મંત્રી શેરી રહેમાન, વિદેશ બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ હિના રબ્બાની ખાર, પૂર્વ સંરક્ષણ મંત્રી ખુર્રમ દસ્તગીર ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂતપૂર્વ દરિયાઈ બાબતોના મંત્રી સૈયદ ફૈઝલ અલી સબઝવારી, સેનેટર બુશરા અંજુમ બટ, ભૂતપૂર્વ વિદેશ સચિવ જલીલ અબ્બાસ જિલાની અને તેહમીના

જંજુઆનો પણ આ પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ખાસ સહાયક સૈયદ તારિક ફાતેમીના નેતૃત્વમાં એક અલગ પ્રતિનિધિમંડળ રશિયા પહોંચ્યું છે. આ સમાચાર પણ વાંચો... પત્રકારે UNમાં બિલાવલનું જૂઠાણું ઝડપી પાડ્યું: ભુટ્ટોએ કહ્યું હતું કે પહેલગામ હુમલાની આડમાં ભારતે મુસ્લિમોની છબિ ખરાબ કરી મંગળવારે મોડીરાત્રે સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલયમાં એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીનું જુઠ્ઠાણું પકડી લીધું. સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post