'ભારત માતા કી જય': 'ઓપરેશન સિંદૂર' બાદ ગદગદ થયું બોલિવૂડ, અનુપમ ખેર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સે ભારતની જવાબી કાર્યવાહી વખાણી

'ભારત માતા કી જય':'ઓપરેશન સિંદૂર' બાદ ગદગદ થયું બોલિવૂડ, અનુપમ ખેર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સે ભારતની જવાબી કાર્યવાહી વખાણી
Email :

પહેલગામ આતંકી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળો પર એરસ્ટ્રાઈક કરી છે. ભારત દ્વારા કરવામાં આવેલ જવાબી કાર્યવાહીનું નામ 'ઓપરેશન સિંદૂર' રાખવામાં આવ્યું છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ગર્વ અનુભવી રહ્યા છે. અનુપમ ખેર, રિતેશ દેશમુખ અને ચિરંજીવી

જેવા ઘણા સેલેબ્સે આ અંગે પોસ્ટ શેર કરી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. બોલિવૂડ સેલેબ્સ 'ઓપરેશન સિંદૂર' બાદ ગદગદ થઈ ગયા અનુપમ ખેરે ઑફિશિયલ X પ્લેટફોર્મ પર 'ઓપરેશન સિંદૂર'નું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, 'ભારત માતા કી જય.' ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પણ 'ઓપરેશન સિંદૂર' પર ભારત સરકારને

ટેકો આપ્યો છે. એસોસિએશન દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, "ભારત સરકાર અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા લેવામાં આવેલા નિર્ણાયક પગલાં માટે અમારું અતૂટ સમર્થન અને કૃતજ્ઞતા." પાકિસ્તાન અને PoKમાં આતંકી માળખાને નિશાન બનાવતું આ ઓપરેશન, પહેલગામ હુમલાનો કડક જવાબ હતો જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

Leave a Reply

Related Post