Brain hemorrhage ગંભીર સમસ્યા, આ વિટામિનની ઉણપથી બ્રેઇન હેમરેજનું જોખમ, જાણો..:

Brain hemorrhage ગંભીર સમસ્યા, આ વિટામિનની ઉણપથી બ્રેઇન હેમરેજનું જોખમ, જાણો..
Email :

ટીવી ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ જણાવ્યું કે બ્રેઈન હેમરેજને કારણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તે 2 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહી. બ્રેઇન હેમરેજ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની છે. બ્રેઇન હેમરેજના દર્દીને જો સમયસર સારવાર ના મળે તો મૃત્યુ પણ થઈ શકે છે.છેલ્લા કેટલાક સમયમાં બ્રેઇન હેમરેજ રોગના દર્દીમાં વધારો થતા ડોકટરો પણ સતર્ક થઈ ગયા છે. આખરે કેમ લોકોમાં બ્રેઇન હેમરેજની સમસ્યા વધી છે તેને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે શરીરમાં આ એક વિટામિનની ઉણપ આ ગંભીર સમસ્યાના જોખમમાં વધારો કરે છે.

તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું કે વિટામિન K એક આવશ્યક પોષક તત્વો છે. અને આ વિટામિન Kની ઉણપના કારણે રક્તસ્ત્રાવનું જોખમ વધતા બ્રેઈન હેમરેજ થવાની શકયતા અનેકગણી વધી જતી હોવાનું સંશોધનમાં સામે આવ્યું. વિટામીન કેની ઉણપના કારણે લોહી ગંઠાઈ જાય છે અને શરીરમાં થતા રકતસંચાર પર અસર કરે છે. આ વિટામીનની ઉણપના કારણે રક્ત સંચાર પર અસર થતા અચાનક ગંભીર માથાનો દુખાવો થવો તેમજ ચાલવામાં અને બોલવામાં મુશ્કેલી થવા લાગે છે.  વિટામિન Kની ઉણપના કારણે શરીરમાં અનેક ગંભીર અસર થાય છે. 

બ્રેઇન હેમરેજના કારણો

શરીરમાં વિટામિન K ની ઉણપ હોય તો રક્તસ્ત્રાવનું જોખમ વધી જાય છે. આ વિટામિનની ઉણપથી મગજમાં રક્તવાહિનીઓ ફાટી જવા અને ગંઠાઈ જવાને કારણે મગજમાં રક્તસ્ત્રાવ થાય છે. આવી સ્થિતિમાં મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધે છે. માથામાં કોઈપણ પ્રકારની ઈજા કે ઈજા મગજમાં રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે. મગજમાં નસનું સંકોચન પણ મગજમાં રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે.આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને રક્ત વાહિનીઓ સંબંધિત સમસ્યાઓ પણ કારણ હોઈ શકે છે. મગજની ગાંઠ, રક્તસ્ત્રાવ, લીવર રોગ પણ બ્રેઇન હેમરેજનું કારણ બની શકે છે. આ ઉપરાંત વૃદ્ધત્વ અને વધુ દવાઓ લેવાથી પણ બ્રેઇન હેમરેજનું જોખમ વધે છે

વિટામિન કે કેમ જરૂરી

વિટામિન K મગજના ન્યુરોનલ કાર્યને સુધારવામાં મદદ કરે છે. આ વિટામિન મગજના કોષોને નુકસાનથી બચાવે છે. વિટામિન K ની ઉણપ જ્ઞાનાત્મક ક્ષમતાઓને નબળી બનાવી શકે છે. આનાથી વ્યક્તિને યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. વિટામિન K મગજના રક્ષણમાં ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે.

નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે.

Leave a Reply

Related Post