Vitaminની ઉણપથી Brain Hemorrhageની સમસ્યા, આહારમાં સામેલ કરો આ Food:

Vitaminની ઉણપથી Brain Hemorrhageની સમસ્યા, આહારમાં સામેલ કરો આ Food
Email :

આજે હોસ્પિટલમાં આપણે દર્દીઓની લાંબી લાઈનો જોઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં ફક્ત શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારી માટે નહી પરંતુ હાર્ટએટેક અને કેન્સર જેવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગંભીર બીમારીમાં હવે બ્રેઈન હેમરેજના કિસ્સા પણ વધ્યા છે. બ્રેઇન હેમરેજના દર્દીને સમયસર સારવાર ના મળે તો મૃત્યુ થવાનું જોખમ રહે છે. બ્રેઇન હેમરેજ રોગના દર્દીમાં વધારો થતા ડોકટરો પણ હવે સતર્ક થઈ ગયા છે. ડોક્ટરના જણાવ્યા મુજબ શરીરમાં આ એક વિટામિનની ઉણપ બ્રેઇન હેમરેજ જેવી ગંભીર સમસ્યાના જોખમમાં વધારો કરે છે.

વિટામિન Kની ઉણપ બને છે બ્રેઈન હેમરેજ સમસ્યાનું કારણ

ડોક્ટરના જણાવ્યા મુજબ શરીરમાં વિટામિન Kની ઉણપના કારણે મગજની નસ ફાટી જાય જેવી સમસ્યા જોવા મળે છે. તંદુરસ્ત આરોગ્ય માટે શરીરમાં રક્તસંચાર ખૂબ મહત્વનું છે. જો યોગ્ય રીતે શરીરમાં રક્તપ્રવાહ સંચાર ના કરે તો ઓક્સિજનનો પુરવઠો બંધ થતા નસ બ્લોક થઈ જવાના કારણે બ્રેઈન હેમરેજ અને હાર્ટએટેક જેવી સમસ્યાનું જોખમ રહે છે. વિટામિન K શરીરમાં રક્ત પ્રવાહ સારી રીતે કામગીરી કરે છે. એટલે આ વિટામિન Kની ઉણપ શરીરમાં જોવા મળતા બ્રેઈન હેમરેજના જોખમના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. માટે આપણે પોતાની દિનચર્યામાં વિટામિન K યુક્ત આહારને સામેલ કરવા જોઈએ.

જાણો કયા આહારમાંથી આપણને વિટામિન K મળે છે

વિટામિન Kના બે પ્રકાર છે એક વિટામિન K1 અને વિટામિન K2. વિટામિન K1 મુખ્યત્વે છોડમાંથી મળે છે. અને વિટામિન K2 મુખ્ય સ્ત્રોત પેશીજનક ખોરાકમાંથી મળે છે એટલે કે જેમાં ઠળિયા હોય તેવો ખાદ્યપદાર્થ. આપણે વિટામિન K1નું સેવન કરવા આહારમાં પાલક (Spinach), કોળા ભાજી (Kale), બ્રોકલી, કોબી (Cabbage), લીલા ધાણા, લીલી ફૂલકોપી, લીલા પાપડી, તુલસીનાં પત્તાંને સામેલ કરો. તમે આ તમામ ખાદ્યવસ્તુને જુદી-જુદી રીતે શાક, અને પરોઠા તેમજ સૂપ બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. તેમજ વિટામિન K2 માટે દહીં, પનીર, છાસ, માછલી (ખાસ કરીને સૅલમન, ટ્યુના) અને માખણ તેમજ ફર્મેન્ટેડ સોયાબીનને આહારમાં સામેલ કરી શકાય.

નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે.

Leave a Reply

Related Post