પ્રેમપ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા: રાજકોટમાં 3 શખસે યુવાનને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, બે આરોપી પોલીસ સકંજામાં, એક ફરાર

પ્રેમપ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા:રાજકોટમાં 3 શખસે યુવાનને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, બે આરોપી પોલીસ સકંજામાં, એક ફરાર
Email :

રાજકોટ શહેરમાં વધુ એક વખત પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. ગત રાત્રિના બાપુનગર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં ત્રણ શખસે યુવાન સાથે ઝઘડો કરી બાદમાં તેને છરીનો ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અલગ-અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં બે આરોપીને પકડી પાડ્યા હતાં. તો ફરાર મુખ્ય આરોપને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. 3 શખસે હુમલો કરી યુવકને

મોતને ઘાટ ઉતાર્યોઃ ACP રાજકોટ શહેર એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના બાપુનગર વિસ્તારમાં નીલકમલ ફર્નિચર પાસે સ્મશાન નજીક સોમવારે રાત્રિના 9 વાગ્યા આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા ઈશાન મુસ્તુફાભાઈ કાસવાણી (ઉં.વ.20) નામના યુવાન પર ત્રણ શખસે હુમલો કરી તેને છરીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત નિવડે તે

પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ તથા એલસીબી ઝોન-1 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીની પત્નીના મૃતકના ફોનમાં ફોટા હોવાથી ઝઘડો થયો પોલીસની પ્રાથમિક તપાસમાં જિલ્લા ગાર્ડન પાસે રહેતો ઈશાન રાત્રિના બાપુનગર વિસ્તારમાં હતો, ત્યારે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ પાતાણી તેની સાથે ઝઘડો કર્યા હતો. બાદમાં તેને પેટના ભાગે છરીનો

ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવાનની હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મૃતક યુવાન ઇશાનને આરોપી અમન ચૌહાણની પત્ની સાથે અગાઉ પ્રેમ સબંધ હતો. તેના ફોટા પણ તેની પાસે હોવાની જાણ થતા અમન અને મૃતક યુવાન વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અમનના મિત્રો અફઝલ અને સાહિલ પણ જોડાયા હતા અને ત્રણેય જણાએ સાથે મળી યુવકને મોતને ઘાટ

ઉતારી દીધો હતો. મુખ્ય આરોપી ફરાર, બેની ધરપકડ અગાઉના પ્રેમ સબંધનો ખાર રાખી યુવકની હત્યાના બનાવમાં મુસ્તુફાભાઈ કાસવાણી પરિવારે પોતાનો એકનો એક આશાસ્પદ દીકરો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક ગણતરીની કલાકોમાં આરોપી અફઝલ સિકંદર જુણેજા અને સાહિલ પાતાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી ફરાર મુખ્ય આરોપી અમન

ચૌહાણને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. જિશાન બે બહેનમાં એકનો એક ભાઈ હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જિશાન બે બહેનનો એકનો એક ભાઇ હતો અને બાપુનગર મેઇન રોડ પર બટેટાવાળાની લારીમાં કામ કરતો હતો. આરોપી અમન ચૌહાણના પંદરેક દિવસ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે જિશાનને સંબંધ હોવાની અમનને શંકા હતી અને તે શંકાનો ખાર રાખી જિશાનનું કાસળ કાઢી નાખ્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.

Leave a Reply

Related Post