રાજકોટમાં 38 બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફર્યાં: વહેલી સવારે 55 જેટલાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં; લૂંટ અને મારામારી-પ્રોહિબિશન સહિતના આરોપીઓએ કબજો કરેલો

રાજકોટમાં 38 બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફર્યાં:વહેલી સવારે 55 જેટલાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં; લૂંટ અને મારામારી-પ્રોહિબિશન સહિતના આરોપીઓએ કબજો કરેલો
Email :

રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ગુનેગારોનાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે રાજ્યભરની પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે આજે (19 મે, 2025) વહેલી સવારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે 38 બૂટલેગરનાં 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. પોલીસે વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ મહાનગર પાલિકા તેમજ પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ હતી અને કુલ 38 ગુનેગારે 6.52 કરોડ કિંમતની 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરવામાં આવ્યાં છે. જે વિસ્તારમાં

ડિમોલિશન કરવામાં આવ્યું છે એ રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઇ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલાં દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલા આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલું મકાન હતું. આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ

ચૂક્યા છે. ભવિષ્યમાં પણ આરોપીઓ સામે આવી જ કાર્યવાહી કરાશેઃ DCP રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે કે, ગૃહમંત્રી અને DGP સાહેબની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્ત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે, સાથે તેમનાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેમના 55 કરતાં વધુ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ આરોપીઓ

વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજિક તત્ત્વો છે તેમની કમરતોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગત શુક્રવારે પણ રાજકોટના પોપટપરા શેરી નંબર 14માં આરોપી અજય માનસિંહ પરસોંડાના ઘર પર પણ બુલડોઝર ફેરવીને એને તોડી પાડવામાં આવ્યું

હતું, જેના વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રેયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરી સતત ચાલુ જ રહેશે, જેટલા પણ ગુનેગારો છે તેમનાં મકાન આઈડેન્ટિફાય કરી ગેરકાયદે દબાણ હોય તો એને તોડી પાડવામાં આવશે. ગુનેગારોનાં નામ અને તેમની સામે નોંધાયેલા ગુના તો આવો જાણીએ કે ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું... 6 નવેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારની કામગીરીને "ગેરકાયદે" જણાવીને કહ્યું હતું કે કોઈપણ ડિમોલિશનની કામગીરી પ્રક્રિયા અનુસાર કરવામાં આવવી જોઈએ અને પરિવારને એ મિલકત ખાલી કરવા માટે

પૂરતો સમય આપવો જરૂરી છે. કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને દરેક અસરગ્રસ્ત પરિવારને રૂ. 25 લાખ દંડ પેટે ચૂકવવા માટે આદેશ આપ્યો હતો, જે આ પ્રકારના ડિમોલિશન માટે કાયદેસરની સત્તા ન હોવાને હાઇલાઇટ કરે છે. ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન સુપ્રીમ કોર્ટેના ચુકાદા સામે ઉત્તરપ્રદેશ સરકારે દલીલ કરી હતી કે આવાં ડિમોલિશન ગુનાખોરીને રોકવા અને કાયદો-વ્યવસ્થાને જાળવવા માટે જરૂરી છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર ન્યાયિક ભૂમિકા ભજવી શકતી નથી અને ગેરકાયદે રીતે સંપત્તિ ડિમોલિશન કરીને વ્યક્તિઓને દંડિત કરી શકતી નથી.

Leave a Reply

Related Post