ચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન: ગેરકાયદે નમાઝની જગ્યા સહિત 20 કારખાનાં-દુકાનો પર બુલડોઝર ફર્યું; 2008માં અહીં જ દબાણો હટાવાયાં હતાં

ચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન:ગેરકાયદે નમાઝની જગ્યા સહિત 20 કારખાનાં-દુકાનો પર બુલડોઝર ફર્યું; 2008માં અહીં જ દબાણો હટાવાયાં હતાં
Email :

અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલિશન બાદ હવે રખિયાલમાં ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે (15 મે, 2025) રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા અને 20 જેટલાં કારખાનાં બનાવાયાં હતાં એ તોડી પાડવામાં આવ્યાં છે. 350થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું, એ બાદ ફરી દબાણો થઈ ગયાં હતાં. સવારથી પોલીસ-બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાં વર્ષોથી

કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાનાં અને દુકાન બનાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદે હોવાથી સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ જોવા ટોળે વળ્યા હતા. 2008માં ડિમોલિશન કર્યા બાદ ફરી દબાણો થઈ ગયાં 1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઊભા કર્યા હતા. આગાઉ 2008માં આ જગ્યા પર ડિમોલિશન

કરવામાં આવ્યું હતું, જોકે ત્યાર બાદ ફરીથી આ જગ્યા પર ગેરકાયદે કારખાનાં અને દુકાન ઊભી કરી દેવાયાં હતાં, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એ તોડી પાડવામાં આવ્યાં છે. ચંડોળા તળાવની જેમ વીજ કનેકશન પણ મળ્યાં જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદે બાંધકામ કરેલાં મકાનોમાં વીજ કનેક્શન હતાં એ જ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદે ઊભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં ઊભાં કરેલાં ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા, એને લઈને સવાલ ઊભા થયા છે. ચારે તરફ ફેન્સિંગ તાર કરી દેવામાં આવશેઃ કોર્પોરેટર ​​​​​​​બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે જણાવ્યું

હતું કે, રખિયાલ મોરારજી ચોક પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની 2680 ચોરસમીટરની જગ્યામાં ત્રણ પ્લોટ આવેલા હતા, તેને દૂર કરવા માટે છેલ્લા ત્રણ મહિનાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડની જગ્યા હતી, જેથી તેમની પાસે એસ્ટેટ વિભાગ ન હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમની મદદ લઈ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું છે. ચારે તરફ ફેન્સિંગ તાર કરી દેવામાં આવશે, જેથી ફરીથી હાઉસિંગ બોર્ડની જગ્યામાં કોઈ કબજો કરી શકે નહીં. આ પ્લોટનો કબજો મેળવવાથી આ વિસ્તારમાં આસપાસમાં રહેતા હાઉસિંગ બોર્ડમાં રહેતા 5000 લોકોને ફાયદો થશે. હાઉસિંગ બોર્ડે પોલીસ-બંદોબસ્ત

માગ્યો હતોઃ એસીપી આ મામલે એસીપી આર. ડી. ઓઝાએ જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. આ હાઉસિંગ બોર્ડની જગ્યા છે. હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ-બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. એસીપી, પીઆઇ, પીએસઆઈ સહિત 385 પોલીસકર્મી બંદોબસ્તમાં છે. અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે કરાઈ હતી. 28 એપ્રિલની મોડીરાત્રે જ પોલીસકાફલો, 50 JCB મશીન સાથે AMCની ટીમ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ ડિમોલિશન પર સ્ટે માટે મામલો હાઇકોર્ટમાં ગયો હતો. ત્યાર બાદ હાઇકોર્ટે 11.15થી લઈ 12.45 વાગ્યા સુધી સુનાવણી

કરી સ્ટે મૂકવા ઇનકાર કર્યો હતો. બાદમાં બપોરના 3 વાગ્યે ડિમોલિશન મામલે અમદાવાદ સી.પી. ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25 મિનિટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે ડિમોલિશનની સમગ્ર વિગત મેળવી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ: ઘૂસણખોરો પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ બોગસ આઇડી પ્રૂફથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરી રહેલા ચાર બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા હતા, જેમાં સોજીબમિયાં, આકાશખાન, મુન્નાખાન અને અબ્દુલ લતીફનો સમાવેશ થાય છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ)

Leave a Reply

Related Post