જાતિનો દાખલો-નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર: વેરિફિકેશન-ફોટા માટે 1-1 બારી જ ખૂલ્લી, પુત્રીના એડમિશન માટે પિતાએ LC રજૂ કર્યુ તો 1978નું જાતિનું પ્રૂફ માંગી હેરાન કર્યા

જાતિનો દાખલો-નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર:વેરિફિકેશન-ફોટા માટે 1-1 બારી જ ખૂલ્લી, પુત્રીના એડમિશન માટે પિતાએ LC રજૂ કર્યુ તો 1978નું જાતિનું પ્રૂફ માંગી હેરાન કર્યા
Email :

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ કોલેજોમાં એડમિશન માટે રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે રાશનની દુકાનની માફક લાંબી કતાર જોવા મળી રહી છે. આકરા તાપમાં ઊભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા છે, ત્યારે અહીં એક પણ પ્રકારની ટોકન સિસ્ટમ નથી. હીટવેવ વચ્ચે બારી બપોરે 1

વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોઈ વિદ્યાર્થીનો વારો ન આવે અને બારી બંધ થઈ જાય તો બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આ સાથે અરજદારોને યોગ્ય જવાબ મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે. પિતા કે દાદા ભણેલા નથી તો 1978નું પ્રૂફ ક્યાંથી લાવું?: વાલી બે અરજદાર વિદ્યાર્થિનીના પિતા મનીષ સિંધવે જણાવ્યું હતું કે, હું

બે દિવસથી અહીં ધક્કા ખાવ છું, પરંતુ અહીંથી કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. કયા- કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે તેવું પૂછવામાં આવે તો ઉટપટાંગ જવાબ આપવામાં આવે છે. અત્યારે હું તમામ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો મને કહેવામાં આવ્યું કે, વર્ષ 1978 પહેલાની જાતિની સાબિતી લઈ આવો. મારા પિતા કે દાદા કોઈ ભણેલા નથી તો 1978નું

પ્રૂફ ક્યાંથી લઇ આવું? ‘હું OBCમાં આવું છું, છતાં આ લોકો માન્ય રાખતા નથી’ વધુમાં ઉમેર્યું કે, મારે OBCનો દાખલો કઢાવવાનો છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ કઢાવવાનું છે. મારી બંને દીકરીના એડમિશન માટે કોલેજમાં આપવાનું છે. અહીં લોકો તડકામાં હેરાન થાય છે. મારા લિવિંગ સર્ટિફિકેટમાં નાડોદા રાજપૂત લખેલું છે. હું OBCમાં આવું છું, છતાં આ લોકો માન્ય

રાખતા નથી. મારી બંને દીકરીને કોલેજમાં નર્સિંગમાં એડમિશન લેવાનુ છે. હવે આ જાતિનો દાખલો નહીં નીકળતા મુશ્કેલી પડશે. લાઈનમાં બે કાલક નીકળી જાય છેઃ અરજદાર જ્યારે અરજદાર ચિરાગ પંચાસરાએ જણાવ્યું હતું કે, અહીં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યો છું. અડધો કલાકથી લાઈનમાં ઉભો છું. લાઈન ખૂબ જ લાંબી છે અને એકથી બે કલાકનો સમય નીકળી જાય તેવું છે.

હાલ વેરિફિકેશન અને ફોટો પાડવા માટેની એક-એક બારી જ ખુલ્લી છે. સમસ્યા હશે તો તે દૂર કરવામાં આવશેઃ અધિકારી આ મામલે સિટી પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, બહુમાળી ભવનમાં જાતિનો દાખલો કાઢી આપવામાં આવે છે જે નાયબ નિયામક હેઠળ આવે છે. છતા ત્યાં અરજદારોની કોઈ સમસ્યા હશે તો તે દૂર કરવામાં આવશે.

Leave a Reply

Related Post