વિમાન દુર્ઘટનામાં ઘણા ફિલ્મી સ્ટાર અસ્ત થઈ ચૂક્યા છે: બોલિવૂડની હિરોઇન સૌંદર્યા થી લઈને હોલિવૂડના અનેક એક્ટર્સને આકાશ ગળી ગયું

વિમાન દુર્ઘટનામાં ઘણા ફિલ્મી સ્ટાર અસ્ત થઈ ચૂક્યા છે:બોલિવૂડની હિરોઇન સૌંદર્યા થી લઈને હોલિવૂડના અનેક એક્ટર્સને આકાશ ગળી ગયું
Email :

ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ થયાની બે મિનિટ પછી ક્રેશ થઈ ગયું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ મેમ્બર સહિત 291 લોકોના મોત થયાં હતાં. નોંધનીય છે કે, દુનિયામાં પહેલા પણ ઘણા વિમાન અકસ્માતો થયા છે અને આ અકસ્માતોએ ઘણા સ્ટાર્સના જીવ પણ લીધા છે. સૌંદર્યા 'સૂર્યવંશમ' ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવનાર સાઉથ એક્ટ્રેસ સૌંદર્યાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. તે સાત મહિનાની ગર્ભવતી હતી.

17 એપ્રિલ, 2004ના રોજ બેંગ્લોર નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં તે અને તેના ભાઈનું દુઃખદ અવસાન થયું હતું. સૌંદર્યા કર્ણાટકના કરીમનગરમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહી હતી ત્યારે માત્ર 31 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું. તરુણી સચદેવ 'પા' ફિલ્મની ચાઇલ્ડ એક્ટ્રેસ તરુણી સચદેવનું 14 મે 2012ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તરુણી તેના જન્મદિવસ પર નેપાળની યાત્રા પર હતી ત્યારે જોમસોમ એરપોર્ટ નજીક તેનું વિમાન પર્વતો સાથે અથડાયું હતું. જોમસોમ એરપોર્ટ નજીક અગ્નિ એર ડોર્નિયર 228

દુર્ઘટનામાં 14 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. આ અકસ્માતમાં તેની માતાનું પણ અવસાન થયું. આ સમાચાર બહાર આવતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમિતાભ બચ્ચન જેવા મોટા કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. ઇન્દર ઠાકુર 'નદિયા કે પાર' ફિલ્મમાં જોવા મળેલા ઈન્દર ઠાકુર માત્ર એક સારા અભિનેતા જ નહીં, પરંતુ તેઓ ફેશન ડિઝાઇનર અને એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર પણ હતા. જૂન 1985માં, તેઓ એર ઈન્ડિયા ફ્લાઇટ 182માં હતા.

આ વિમાન આતંકવાદી હુમલામાં ઉડાવી દેવામાં આવ્યું હતું. ઈન્દર ઠાકુરનું માત્ર 35 વર્ષની ઉંમરે અવસાન થયું. તેમની પત્ની પ્રિયા અને બાળકો પણ તેમની સાથે હતા. આને ભારતના ઇતિહાસમાં સૌથી મોટી હવાઈ દુર્ઘટના માનવામાં આવે છે. ઝુબેદા બેગમ ઝુબેદા બેગમ 1950 ના દાયકાની એક્ટ્રેસ હતી. ઝુબેદા બેગમનું જીવન કોઈ ફિલ્મથી ઓછું નહોતું. છૂટાછેડા લીધેલી અને એક બાળકની માતા હોવા છતાં, જોધપુરના મહારાજા હનવંત સિંહે તેમને દિલથી અપનાવ્યા હતા. મહારાજાએ ઝુબેદાને છોટી રાણીનો દરજ્જો આપ્યો હતો.

જણાવી દઈએ કે ભારતને આઝાદી મળ્યા પછી, દેશમાં રાજાશાહીનો અંત આવી રહ્યો હતો. 1949માં રાજસ્થાન રાજ્યની રચના થઈ અને 1952ની પહેલી વિધાનસભા ચૂંટણીમાં જોધપુરના મહારાજા હનવંત સિંહે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 'અખિલ ભારતીય રામ રાજ્ય પરિષદ પક્ષ'ની રચના કરી અને કોંગ્રેસ સામે ચૂંટણી લડી. હનવંત સિંહે તેમની પહેલી પત્ની કૃષ્ણા કુમારી સાથે ચૂંટણી પ્રચાર કર્યો, જ્યારે ઝુબેદાને મુસ્લિમ હોવાને કારણે ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવી હતી. ચૂંટણીના વાતાવરણમાં, ઝુબેદા એકલી પડી ગઈ. 26

જાન્યુઆરી, 1952 ના રોજ, હનવંત સિંહ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા. ઝુબેદાએ તેમની સાથે જવાનો આગ્રહ રાખ્યો. હેલિકોપ્ટરમાં ફક્ત બે જ બેઠકો હતી, તેથી કૃષ્ણા કુમારીને રોકાવું પડ્યું. હનવંત સિંહ પોતે હેલિકોપ્ટર ઉડાડી રહ્યા હતા, પરંતુ થોડી જ વારમાં હેલિકોપ્ટર સુમેરપુર નજીક ક્રેશ થયું. આ અકસ્માતમાં, 26 વર્ષીય ઝુબેદા અને 28 વર્ષીય મહારાજા હનવંત સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જણાવી દઈએ કે મહારાજા હનવંત સિંહ ચૂંટણી જીતી ગયા હતા. તેમના મૃત્યુ પછી જોધપુરમાં બે

પેટાચૂંટણીઓ યોજાઈ હતી. આ દેશની પહેલી પેટાચૂંટણી માનવામાં આવે છે. 2001માં શ્યામ બેનેગલે ઝુબેદાના જીવન પર એક ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ 'ઝુબેદા' હતું. તેમાં કરિશ્મા કપૂર અને મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં હતા. આલિયા હોલિવૂડ સિંગર અને એક્ટર 25 ઓગસ્ટ, 2001ના રોજ વિમાન દુર્ઘટનામાં આલિયાનું મૃત્યુ થયું ત્યારે તે માત્ર 22 વર્ષની હતી. તે બહામાસમાં શૂટિંગ કરીને પરત ફરી રહી હતી. તેની સાથે નવ અન્ય લોકો પણ હતા, જે બધાનાં મોત થયાં હતાં. વિમાનમાં સામાન

ભરેલો હતો અને પાયલોટ બિનઅનુભવી હતો. આ અકસ્માત બાદ સમગ્ર સંગીત ઉદ્યોગ આઘાતમાં મુકાઈ ગયો હતો. ક્રિશ્ચિયન ઓલિવર 2024 માં, પ્રખ્યાત હોલિવૂડ એક્ટર ક્રિશ્ચિયન ઓલિવર અને તેમની બે પુત્રીઓનું એક નાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત 4 જાન્યુઆરી, 2024 ના રોજ કેરેબિયન સમુદ્ર નજીક થયો હતો. વિમાન બેક્વિઆથી સેન્ટ લુસિયા જઈ રહ્યું હતું પરંતુ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું. ક્રિશ્ચિયન ઓલિવરે 'સ્પીડ રેસર' અને 'ધ ગુડ જર્મન' જેવી ફિલ્મોમાં કામ કર્યું

હતું. તેમનો જન્મ જર્મનીમાં થયો હતો અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. ઓડી મર્ફી અમેરિકન સૈનિક, એક્ટર અને ગીતકાર ઓડી મર્ફી 28 મે, 1971 ના રોજ એક ખાનગી વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનું વિમાન, એરો કમાન્ડર 680, વર્જિનિયાના પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ, ધુમ્મસ અને લો વિઝિબિલિટી કારણે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ઓડી મર્ફી સહિત કુલ છ લોકોનાં મોત થયાં હતાં. તેમને અમેરિકાના પ્રતિષ્ઠિત લશ્કરી કબ્રસ્તાનમાં સંપૂર્ણ સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Related Post