ચહલના ગુણોએ મહવશને મંત્રમુગ્ધ કરી: ક્રિકેટરના ગુણગાન ગાવામાં આરજે વ્યસ્ત, કહ્યું- 'તેની નમ્રતા અને ભલમનસાઈ ચોરી લેવા માંગુ છું'

ચહલના ગુણોએ મહવશને મંત્રમુગ્ધ કરી:ક્રિકેટરના ગુણગાન ગાવામાં આરજે વ્યસ્ત, કહ્યું- 'તેની નમ્રતા અને ભલમનસાઈ ચોરી લેવા માંગુ છું'
Email :

કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા પછી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હાલમાં આરજે મહવશ સાથેના તેના અફેરની ચર્ચાના કારણે હેડલાઇન્સમાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, જોકે જાહેરમાં તેઓ એકબીજાને ફક્ત સારા મિત્રો તરીકે વર્ણવે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં મહવશે યુઝવેન્દ્ર ચહલના વ્યક્તિત્વ વિશે ખૂલીને વાત કરી, જેના પછી તેમના અફેરની ચર્ચા વધુ તીવ્ર બની છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડને આપેલા ઇન્ટરવ્યૂમાં મહવશે યુઝવેન્દ્ર ચહલના વ્યક્તિત્વ વિશે વાત કરી અને તેને સૌથી વધુ કાળજી રાખનાર વ્યક્તિ (મોસ્ટ કેરિંગ પર્સન) ગણાવ્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે ચહલનો કયો ગુણ ચોરી કરવા માંગે છે, ત્યારે

મહવશે કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો કે, તે ક્રિકેટરની ભલાઈ અને નમ્રતા ચોરી કરવા માંગે છે. આરજેએ કહ્યું, 'ચહલ હંમેશા એ લોકો માટે હાજર રહે છે, જેમને તે પ્રેમ કરે છે. હું ચોક્કસપણે તેની પાસેથી આ ગુણ ચોરી લેવા માંગુ છું.' આ પહેલા પણ IPLમાં 'ચેન્નઈ સુપર કિંગ્સ'ની સામે 'પંજાબ કિંગ્સ'ની જીત બાદ મહવશે ક્રિકેટર માટે હૃદયસ્પર્શી સંદેશ લખ્યો હતો. જેની ખૂબ ચર્ચા થઈ હતી. મહવશે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'દરેક મુશ્કેલ સમયમાં પોતાના લોકોનો સાથ આપવા અને તેમની પાછળ ખડકની જેમ ઉભા રહેવા બદલ, અમે બધા યુઝવેન્દ્ર ચહલ તમારી સાથે

છીએ.' મહવશની પોસ્ટના જવાબમાં, ક્રિકેટરે લખ્યું, 'તમે લોકો મારી કરોડરજ્જુ છો, મને હંમેશા ટેકો આપવા બદલ આભાર.' નોંધનીય છે કે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ વચ્ચે ડેટિંગની અફવાઓ ત્યારે વધુ તીવ્ર બની, જ્યારે ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે ચહલ મહવશ સાથે જોવા મળ્યો. બંનેને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી મેચનો આનંદ માણતા સાથે જોવામાં આવ્યાં હતાં, ત્યારબાદ ચર્ચા વધુ તીવ્ર બની હતી. આરજે મહવશના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેણે તાજેતરમાં 'પ્યાર પૈસા પ્રોફિટ' નામની વેબ સિરીઝથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી છે. આ વેબ સિરીઝ એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.

Leave a Reply

Related Post