ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરાશે: કાંકરિયાની જેમ જ તળાવનું બ્યૂટિફિકેશન કરાશે, પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ-જિમ સહિતની કામગીરી

ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરાશે:કાંકરિયાની જેમ જ તળાવનું બ્યૂટિફિકેશન કરાશે, પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ-જિમ સહિતની કામગીરી
Email :

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સૌથી ચર્ચાસ્પદ મુદ્દો અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં તોડવામાં આવી રહેલા બાંધકામો લઈને છે. 29 અને 30 એપ્રિલના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી અને મેનપાવર દ્વારા 4,000 જેટલા નાના-મોટા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાંને તોડી આશરે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયાં છે. શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યા બાદ હવે તેના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ચંડોળા તળાવના

ડેવલપમેન્ટની 2024માં જ મંજૂરી આપી દેવાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવને ડેવલોપમેન્ટ કરવા માટે વર્ષ 2024માં મંજૂરી આપી દેવામાં આવી છે. ન્યુ ગુજરાત દ્વારા આ સમગ્ર ચંડોળા તળાવોને કેવી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવશે. નાગરિકો માટે શું સુવિધાઓ તેમજ ચંડોળા તળાવને કેવી રીતે હવે સુરક્ષિત કરવામાં આવશે તેને લઈને સમગ્ર માહિતી આપવામાં આવી રહી છે. સાત ફેઝમાં ચંડોળા તળાવને ડેવલપ કરાશે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ

તળાવને ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કુલ સાત ફેઝમાં તળાવને ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાણીલીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપરના ભાગને પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરીને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ઘોડાસર પાસેથી પસાર થતી કેનાલના પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે. STP પ્લાન્ટ ઊભો કરવામાં આવશે જેમાંથી ગટરનું ટ્રીટ કરેલું પાણી પણ તળાવમાં છોડવામાં આવશે જેના કારણે તળાવ બારેમાસ ભરેલું રહેશે. પ્રથમ ફેઝમાં 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ રૂ. 27.53

કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવનું રિડેવલપમેન્ટ કરાયા પછી સમગ્ર વિસ્તારની રોનક બદલાઈ જશે અને આગવી ઓળખ ઉભી થશે. તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલોપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથિયેટર, જંગલ જિમ, ખંભાતી કૂવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે. ચંડોળા તળાવમાંથી કોપ કાઢીને જળસંગ્રહ વધારાશે અને રાઈપેરીઅન સહિત ઝાડ પાન સહિત વૃક્ષારોપણ કરીને પાણીનું શુધ્ધીકરણ કરવામાં આવશે. સહેલાણીઓને હરવાફરવા કાંકરિયા નહીં જવું પડે પ્રથમ ફેઝ અંતર્ગત હાલમાં તળાવ ડીપનિંગ, ડેવલપમેન્ટ એરિયામાં ફીલિંગ,

તળાવની ફરતે વોક વે ના ફીલિંગની તથા ખંભાતી કુવાની કામગીરી ચાલી રહી છે. ચંડોળા તળાવની કાયાપલટ કરવામાં આવ્યા પછી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને દાણીલીમડા, શાહ આલમ, ઈસનપુર. વટવા, ઘોડાસરના રહીશોએ દરરોજ સાંજે ખાસ કરીને શનિ-રવિવારના રોજ હરવાફરવા માટે કાંકરિયા જવું પડશે નહીં. ચંડોળા તળાવનો ભાગ દીવાલથી બંધ કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ચંડોળા તળાવને રી ડેવલપમેન્ટ કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કુલ સાત ફેઝમાં આ કામગીરી થવાની છે. છે ચંડોળા તળાવમાં જે દબાણ થયા હતા તેને દૂર કરવામાં આવ્યા છે

હવે ફરીથી દબાણો ન થાય તેના માટે ઇસનપુર દશા માતાના મંદિર તરફથી ચંડોળા તળાવનો ભાગ દીવાલથી બંધ કરી દેવામાં આવશે જેટલા પણ ભાગમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગ દ્વારા તળાવનો સર્વે શરૂ કરાયો તળાવની ફરતે આખી દિવાલ ઊભી કરવામાં આવશે. ડિમોલિશન કાર્યવાહી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા તળાવનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તળાવની હદ નક્કી કરવામાં આવશે. અધિકારીઓ સાથે ખાનગી એજન્સીના માણસોએ પણ કરી ડિમોલિશન સ્થળની મુલાકાત પણ લેવામાં આવી છે. આગામી દિવસોમાં એસ્ટેટ વિભાગ દ્વારા વિસ્તારની માપણી કરી મેપિંગ કરવામાં આવશે.

Leave a Reply

Related Post